અંબાજી જતા કાલોલ સંઘના 7 પદયાત્રીના કરુણ મોત…

અંબાજી જતા કાલોલ સંઘના 7 પદયાત્રીના કરુણ મોત…
અંબાજી જતા કાલોલ સંઘના 7 પદયાત્રીના કરુણ મોત…

 9 ગંભીર રીતે ઈજાગ્રસ્ત, CMએ 4 લાખની સહાય જાહેર કરી

અરવલ્લીના કૃષ્ણાપુર પાસે એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે, જેમાં એક ઇનોવા કારચાલકે ભાદરવી પૂનમે અંબાજી દર્શન જતા પદયાત્રીઓને કચડ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં 7 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 9 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હિમ્મતનગર સિવિલમાં ખસેડાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રાઈવર ગઈકાલે પુણેથી સતત 20 કલાકથી કાર ચલાવતો હતો.

અંબાજી જતા કાલોલ સંઘના 7 પદયાત્રીના કરુણ મોત… અંબાજી

ચાલકની બેદરકારીના કારણે 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જો કાર ટોલ બુથના પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક વધુ હોત.

આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલા અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે.

Read About Weather here

અકસ્માતમાં જાન ગુમાવનારા યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશે.

અંબાજી જતા કાલોલ સંઘના 7 પદયાત્રીના કરુણ મોત… અંબાજી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here