સોનાક્ષી અને ઝહીર ઈકબાલના લગ્નને લઈ તમામ અપટેડ સામે આવી રહી છે, ત્યારે બંન્ને સ્ટારના લગ્નનું કાર્ડ પણ વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર વેડિંગ કાર્ડ વાયરલ થઈ રહ્યું છે, જેમાંથી અનેક જાણકારી સામે આવી રહી છે.
![સોનાક્ષી સિન્હા-ઝહીર ઈકબાલના લગ્નમાં મહેમાનો માટે કેટલીક ખાસ શરત રાખવામાં આવી, જાણો તે શરતો.. લગ્ન](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની ચર્ચાઓ ચારેબાજુ થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી એવા સમાચાર છે કે, ટુંક સમયમાં આ કપલ લગ્નના બંધનમાં બંધાશે, પરંતુ સોનાક્ષી અને ઝહીર તરફથી લગ્નને લઈ કોઈ વાત કરી નથી. આ વચ્ચે હવે સોનાક્ષી-ઝહીરના લગ્નનું કાર્ડ પણ વાયરલ થઈ રહ્યું છે.
![સોનાક્ષી સિન્હા-ઝહીર ઈકબાલના લગ્નમાં મહેમાનો માટે કેટલીક ખાસ શરત રાખવામાં આવી, જાણો તે શરતો.. લગ્ન](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
સોનાક્ષી-ઝહીર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંન્ને પોતાના લગ્નને પણ સૌ કોઈ થી છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ હવે લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્પષ્ટ થઈ ચુક્યું છે કે, સોનાક્ષી-ઝહીર 23 જૂનના રોજ લગ્ન કરશે. આ લગ્નમાં પરિવારના કેટલાક સભ્યો તેમજ ખાસ મિત્રો જ હાજર રહેશે.
Visit Saurashtra Kranti E-paper here