ટોકયો: સ્વસ્થ રહેવા માટે હસવું જરૂરી છે. કહેવાય છે કે હસવું કોઈ દવાથી ઓછું નથી. જાપાનના લોકો કોરોના મહામારી દરમિયાન હસવાનું ભૂલી ગયા હતા, પરંતુ હવે અહીં હસવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. આ હિસાબે અહીંના લોકોએ દિવસમાં ઓછામાં ઓછું એક વખત ખુલીને હસવું પડશે.
![જાપાની નવું લાવ્યા : જાપાનમાં હસવા માટે નિયમો: દરેકે દિવસમાં એક વખત ખુલીને હસવું જ પડશે… જાપાન](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ઉત્તર જાપાનમાં યામાગાતા પ્રાંતમાં વટહુકમ પસાર કર્યો. તેઓ માને છે કે હસવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જાય છે. વાસ્તવમાં, યામાગાતા યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનની એક ટીમે તાજેતરમાં એક અભ્યાસ હાથ ધર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે હાસ્ય હૃદયને મજબૂત બનાવે છે અને સ્વાસ્થ્યને સુધારે છે તેના મજબૂત પુરાવા છે.
![જાપાની નવું લાવ્યા : જાપાનમાં હસવા માટે નિયમો: દરેકે દિવસમાં એક વખત ખુલીને હસવું જ પડશે… જાપાન](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
આ પછી જાપાનમાં વટ હુકમ બહાર પાડવામાં આવ્યો. અને નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમ પાંચ વર્ષ પહેલાં જર્નલ ઓફ એપિડેમિયોલોજીમાં પ્રકાશિત થયેલા વૈજ્ઞાનિક પેપર પર આધારિત છે.
![જાપાની નવું લાવ્યા : જાપાનમાં હસવા માટે નિયમો: દરેકે દિવસમાં એક વખત ખુલીને હસવું જ પડશે… જાપાન](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
કોરોના દરમિયાન જાપાન હસવાનું ભૂલી ગયા હતા!
કોરોના પહેલા લોકો હસવાની તાલીમ લઈ રહ્યા હતા. ત્યાંના લોકો કોરોનાને કારણે હસવાનું ભૂલી ગયા કારણ કે લોકો આખો સમય માસ્ક પહેરતા હતા. ત્યાં સુધી કે ગયા વર્ષે પણ લોકો હોલીવુડ સ્ટાઈલમાં હસવા માટે કલાસમાં જવા લાગ્યા!
Visit Saurashtra Kranti E-paper here