લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ NDA સરકારના રક્ષા મંત્રી રાજનાથ સિંહ પર સંસદમાં ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’X’ પર વીડિયો શેર કરતા આ વાત કહી અને રાજનાથ સિંહ પાસેથી માફીની માંગ કરી.
રાહુલ ગાંધીએ કહ્યું, મેં સંસદમાં કહ્યું કે સત્યની રક્ષા દરેક ધર્મનો આધાર છે. તેના જવાબમાં રાજનાથ સિંહે શિવજીના ફોટાની સામે વળતર અંગે સમગ્ર ભારત, દેશની સેના અને અગ્નીવિરો સામે ખોટું બોલ્યા. મેં મારા ભાષણમાં કહ્યું હતું કે, મારી વાત પણ ન સાંભળો, તેમની વાત પણ ન સાંભળો, અગ્નિવીરના પરિવારજનોને સાંભળો.
તેમણે કહ્યું કે, શહીદ અજય સિંહના પિતાએ મારું અને રક્ષા મંત્રીનું ભાષણ સાંભળ્યા બાદ કહ્યું કે, રાજનાથ સિંહે ગૃહમાં જે કહ્યું તે મુજબ અમને ન તો પૈસા મળ્યા અને ન તો કોઈ સંદેશ મળ્યો.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, સંરક્ષણ મંત્રીએ સંસદમાં શહીદ અજય સિંહના પરિવાર, સેના અને દેશના યુવાનો સાથે ખોટું બોલ્યા છે. સંરક્ષણ મંત્રીએ આ તમામની માફી માંગવી જોઈએ.
Visit Saurashtra Kranti E-paper here