આનંદ નર્સિંગ કોલેજ ની હોસ્ટેલમાં અવારનવાર આવતી ફરિયાદ અને જમવામાં નીકળેલી જીવાત બાબતે ગજઞઈં ને જાણ થતાં કોલેજ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો,કોલેજ ખાતે પહોંચતા જ વિદ્યાર્થીઓને દબાવવામાં આવવાનું જાણવા મળ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારબાદ ગજઞઈં પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને ટીમ દ્વારા મેનેજમેન્ટ પાસે માફી મંગાવી લેખિત બાંહેધરી લેવામાં આવી. રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલી આનંદ નર્સિંગ કોલેજ અને સોઢા કોલેજની હોસ્ટેલમાં ખૂબ જ પ્રશ્ર્નો છે. તે હોસ્ટેલની વાર્ષિક કી 50000 છે, આવી તોતિંગ ફી ભરવા છતાં વિધાર્થીઓને પૂરતી સુવિધાઓ મળતી નથી. છેલ્લા ઘણાં સમયથી જમવાનું પણ ખૂબ ખરાબ ગુણવત્તા વાળું આપવામાં આવે છે.અને એમાં પણ જમવામાં ઇયળ અને જીવાત નીકળવું એ તો જાણે સામાન્ય વાત થઇ ગઇ હોય. આ બાબતે વિધાર્થીઓ દ્વારા મેનેજમેન્ટ ને વારંવાર ફરિયાદ કરવા છતાં મેનેજમેન્ટ દ્વારા આંખ આડા કાન કરી દેવામાં આવે છે અને વિધાર્થીઓના કોઇ પ્રશ્ર્નોને વાચા આપવાનું કામ થતું નથી. આવા ઘણાં પ્રશ્ર્નોને ધ્યાને લઈ ગજઞઈં દ્વારા આનંદ નર્સિંગ કોલેજ ખાતે રૂબરૂ પહોંચી વિરોધ વ્યક્ત કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here