![અગ્નિકાંડની સુનાવણીમાં હાઈકોર્ટે વધુ એક મોટી સુચના આપી… તમામ મ્યુનીસીપલ કોર્પોરેશનની કામગીરીની તપાસ કરીને એક મહિનામાં રિપોર્ટ આપવાનો આદેશ કર્યો અગ્નિકાંડ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
સરકારી તંત્રોની લાપરવાહીને કારણે ગુજરાતમાં એક પછી એક ગોઝારી દુર્ઘટનાઓથી સરકાર તો ખળભળી જ છે અને હાઈકોર્ટે પણ આકરા પાણીએ છે. રાજકોટ અગ્નિકાંડ મામલે ફેકટ-ફાઈન્ડીંગ કમીટી મારફત તપાસની સાથોસાથ ગુજરાતની વડીઅદાલતે તમામ મ્યુનીસીપલ કોર્પોરેશનની કામગીરીની તપાસ કરીને એક મહિનામાં રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે.
![અગ્નિકાંડની સુનાવણીમાં હાઈકોર્ટે વધુ એક મોટી સુચના આપી… તમામ મ્યુનીસીપલ કોર્પોરેશનની કામગીરીની તપાસ કરીને એક મહિનામાં રિપોર્ટ આપવાનો આદેશ કર્યો અગ્નિકાંડ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ તથા જસ્ટીસ પ્રણવ ત્રિવેદીની બેંચે શહેરી વિકાસ તથા શહેરી આવાસ વિભાગના મુખ્ય સચિવને સરકારી કાર્યવાહી ઠીકઠાક કરવા માટે કડક કદમ ઉઠાવવાની સૂચના આપી હતી.
![અગ્નિકાંડની સુનાવણીમાં હાઈકોર્ટે વધુ એક મોટી સુચના આપી… તમામ મ્યુનીસીપલ કોર્પોરેશનની કામગીરીની તપાસ કરીને એક મહિનામાં રિપોર્ટ આપવાનો આદેશ કર્યો અગ્નિકાંડ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ગુજરાતના કોર્પોરેશનોના કમીશ્નરોની કામગીરી ‘લાપરવાહ’ જેવી હોવાનુ વિવિધ દુર્ઘટના પરથી સુચવાય રહ્યું છે ત્યારે તમામ કોર્પોરેશનોની કામગીરી ચકાસવાનું અનિવાર્ય થઈ ગયુ છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના, હરણીબેટ દુર્ઘટના, રાજકોટ અગ્નિકાંડનો આ તકે ઉલ્લેખ કર્યો હતો.
Visit Saurashtra Kranti E-paper here