પીએમ મોદીના ભાઈએ પુરવઠા વિભાગના અધિકારીઓ પર કર્યો ભ્રષ્ટાચાર આક્ષેપ

રાજ્યભરના રેશિંનગ દુકાનધારકોના પડતર પ્રશ્ર્નો મામલે આંદોલનની ચીમકી

ગુજરાતમાં ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ પડતર માગણીઓ રાજ્ય સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.M મોદીના ભાઈએ પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કરીને તેમની આવકના સ્ત્રોતની તપાસ કરવાની માગણી કરી છે.???? તેમજ તેમણે કહૃાું કે, મોર ખાય, ચોર ખાય, મસલ્સ પાવર ખાય, પોલીસ ખાય, અમારો અધિકારી ખાય અને વધે તો મારો દીકરો દૃૂધ પીવે. આ પાછળ રેશિંનગ દૃુકાનદારોનું કહેવા મુજબ, તેમને પગાર આપ્યા વિના ટીડીએસ કાપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી સમયમાં દૃુકાનદૃારોની પડતર માગણીઓને જો પુરવઠા વિભાગ પૂરી નહીં કરે તો તેમણે લડત આપવાની હાકલ કરી છે.

ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશના પ્રમુખ પ્રહલાદ મોદીએ રેશન દૃુકાન દારો ને વગર પગારે ટીડીએસ કાપી લેતા સરકાર ને આપી ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહૃાું કે, દૃુ:ખના સાથે ગુજરાતના વેપારીઓની વેદના રજૂ કરવાની જરૂરત ઊભી થઈ. રેશિંનગના દૃુકાનદારોએ કોરોના અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના લોકો સુધી અનાજ પહોંચાડવાનું કામ કર્યું. કોરોનાની ભયંકરતા છતાં રેશિંનગ દૃુકાનદારોએ ગુજરાતની આબરું સાચવવાનો પ્રયાસ કર્યો. જે બદલ અમને મુખ્યમંત્રી, અધિકારીઓ તરફથી અભિનંદન મળ્યા. આટલી મહેનત કરવા છતાં બજેટમાં અમને એક રૂપિયો પણ ફાળવાયો નથી. પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ વધુમાં કહૃાું- ઘણા દૃુકાનદારો બેહાલ છે અને તેમની પાસે પૈસા નથી. મા વાત્સલ્ય કાર્ડ માગીએ તો પણ આપતા નથી.

આવી પરિસ્થિતિમાં અમારે ગુજરાત સરકારને ના છૂટકે કહેવું પડે છે, કે જો તમે અમારા પડતર પ્રશ્ર્નો વિશે વિચાર નહીં કરો તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવા વિશે વિચારવું પડશે અને જેની જવાબદારી ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની રહેશે. કોઈ રાગ દ્વેષ જેવું લાગી રહૃાું છે. વ્યાજબી ભાવના દૃુકાનદારો સાથે આટલો અન્યાય કેમ કરવામાં આવી રહૃાો છે? કોરોનામાં ૩૫-૩૬ દૃુકાનદારો ગુજરી ગયા. તેમના માટે સરકારે ૨૫ જાહેર કર્યા પરંતુ આપવાની તૈયારી દેખાતી નથી.