મમતા દીદીએ બંગાળ સાથે વિશ્ર્વાસઘાત કર્યો છે: મોદી

વડાપ્રધાને કોલકાત્તામાં બ્રિગેડ મેદાનમાં જંગી ચૂંટણીસભા સંબોધી

વડાપ્રધાન મોદી મમતા પર વરસ્યા: બંગાળના લાખો ભત્રજી-ભત્રીજાની આશા છોડીને તમે માત્ર તમારા ભત્રીજાની લાલચ કેમ પુરી કરી?

ટીએમસી,લેટ-કોંગ્રેસનું બંગાળ વિરોધી વલણ,બંગાળ સોનાર બાંગ્લા ઇચ્છે

દીદી(મમતા) સ્કૂટી પર સવાર થઈ તો સૌએ પ્રાર્થના કરી, પણ જ્યારે સ્કૂટી પરથી નંદીગ્રામમાં પડવાનું નક્કી કર્યું તો અમે શું કરીએ

પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ખરાખરીનો રાજકિય જંગ જામ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ર્ચિમ બંગાળના કોલકાતા પહોંચ્યા હતા. જ્યાં તેઓ બ્રિગેડ મેદાનની અંદર વિશાળ જનસભાને સંબોધી હતી. આ સાથે જ વડાપ્રધાને ભાજપ તરફથી ચૂંટણી અભિયાનનો શંખનાદ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાના બ્રિગેડ મેદાન ખાતેથી વિશાળ રેલીને સંબોધતા કહૃાું કે, ’બંગાળની આ ધરતીએ આપણા સંસ્કારોને ઉર્જા આપી છે. બંગાળની આ ધરતીએ ભારતની આઝાદી આંદોલનમાં નવા પ્રાણ ફુંક્યા છે. બંગાળની આ ધરતીએ જ્ઞાન-વિજ્ઞાનમાં ભારતનું ગૌરવ વધાર્યું છે.’

વડાપ્રધાને કહૃાું કે, ’બંગાળથી નીકળેલા મહાન વ્યક્તિત્વોએ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને સશક્ત બનાવી. બંગાળની આ ધરતીએ એક કાયદો, એક નિશાન, એક પ્રધાન માટે બલિદાન આપનારા સપૂતો આપ્યા. આવી પાવન જમીનને હું નમન કરૂં છું.’

’બ્રિગેડ ગ્રાઉન્ડની આસપાસ એક તરફ સ્વામી વિવેકાનંદજીનું જન્મસ્થળ છે. બીજી બાજુ નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું નિવાસ સ્થાન છે. એક તરફ મહર્ષિ ઓરોબિન્દોનું જન્મ સ્થળ છે તો બીજી બાજુ શ્યામા પ્રસાદ મુખર્જીનું જન્મ સ્થળ છે.’

વડાપ્રધાને કહૃાું કે, ’બંગાળે પરિવર્તન માટે મમતા દીદી પર વિશ્ર્વાસ મુક્યો હતો. પરંતુ દીદી અને તેમના કેડરે આ વિશ્ર્વાસ તોડી નાખ્યો. આ લોકોએ બંગાળનો વિશ્ર્વાસ તોડ્યો. આ લોકોએ બંગાળને અપમાનિત કર્યું. અહીંની બહેન દીકરીઓ પર અત્યાચાર કર્યા.

’આ વખતની વિધાનસભા ચૂંટણીમાં એક બાજુ TMC છે, લેટ-કોંગ્રેસ છે, તેમનું બંગાળ વિરોધી વલણ છે અને બીજી બાજુ બંગાળની જનતા પોતે જ કમર કસીને ઉભી રહી ગઈ છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહૃાું, “માતા-માટી-માણસ સાથે વિશ્ર્વાસઘાત પછી, આ લોકોએ એક નવો નારો લગાવ્યો છે. દીદી તમે માત્ર બંગાળની જ નહીં પરંતુ આખા ભારતની પુત્રી છો. થોડા દિવસો પહેલા, જ્યારે તમે સ્કૂટી સંભાળી, ત્યારે દરેક જણ પ્રાર્થના કરતા હતા કે તમે સુરક્ષિત રહો, તમને ઈજા ન થાય. સારું થયું કે તમે પડ્યા નહીં, અન્યથા જે રાજયમાં તે સ્કૂટી બનાવવામાં આવી છે, તે રાજ્યને પોતાનો દૃુશ્મન બનાવી દેત. જો સ્કૂટી દક્ષિણમાં બનેલી હોત, તો તેણે તેને શત્રુ બનાવ્યો હોત, જો તે ઉત્તરમાં હોત, તો તેણે તેને દૃુશ્મન બનાવ્યો હોત.તમારી સ્કૂટી ભવાનીપુર ગયા પછી નંદીગ્રામ તરફ વળી ગઈ. અમે દરેકનું સારું જ ઈચ્છીએ છીએ, એવું નથી ઈચ્છતા કે કોઈને ઇજા થાય. જ્યારે સ્કૂટીએ નંદીગ્રામમાં પડવાનું નક્કી જ કર્યું તો અમે શું કરીએ.’’

વડાપ્રધાને કહૃાું કે, ’હું વિશ્ર્વાસ અપાવવા આવ્યો છું કે, તમારા માટે, અહીંના નવયુવાનો માટે, ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો, અહીંની બહેન-દીકરીઓના વિકાસ માટે અમે દિવસ-રાત ૨૪ કલાક મહેનતથી કામ કરીશું. અમે મહેનત કરવામાં કોઈ કમી નહીં રાખીએ. અમે દરેક પળ તમારા માટે જીવીશું. અમે દરેક પળ તમારા સપના માટે જીવીશું.’

’આજે બ્રિગેડ ગ્રાઉન્ડમાં તમારા લોકોનો હુંકાર સાંભળ્યા બાદ કોઈને કોઈ શંકા નહીં રહે. કેટલાક લોકોને તો આજે જ ૨ મે હોવાનું લાગી રહૃાું છે. બ્રિગેડ ગ્રાઉન્ડથી હું પરિવર્તનનો વિશ્ર્વાસ અપાવવા જ આવ્યો છું. બંગાળના વિકાસ, બંગાળમાં પરિસ્થિતિ બદલવાનો અને રોકાણ વધારવાનો, બંગાળના પુન:નિર્માણનો, બંગાળની સંસ્કૃતિના સંરક્ષણનો વિશ્ર્વાસ અપાવવા આવ્યો છું.’

નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી પર નિશાન સાધતા કહૃાું કે તમે એક જ ભત્રીજાની ફઇ કેમ થયા? બંગાળના લાખો ભત્રીજા અને ભત્રીજીઓની આશાને ઠોકર મારીને માત્ર તમારા ભત્રીજાની લાલચ કેમ પુરી કરી? તમે પણ ભાઇ-ભત્રીજાવાદના એ કોંગ્રેસી સંસ્કારોને છોડી ના શકી, જેની સામે તમે બળવો કર્યો હતો. દીદી તમે માત્ર બંગાળ જ નહીં પણ પણ આ દેશની દીકરી છો. થોડા દિવસો પહેલા તમે સ્કૂટી ચલાવી હતા, ત્યારે બધાએ પ્રાર્થના કરી કે તમે સકુશળ રહો. સારુ થયું કે તમે સ્કૂટી પરથી પડ્યા નહીં, નહીંતર જે રાજ્યમાં સ્કૂટી બની હતી તેને તમે દૃુશ્મન ગણી લેત.