વન અને પર્યાવરણ વિભાગ માટે ૧ હજાર ૮૧૭ કરોડની જોગવાઈ

નીતિન પટેલે વન અને પર્યાવરણ વિભાગ માટે ૧ હજાર ૮૧૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં કમલમના બે લાખ રોપા નર્સરીમાં ઉછેર કરી કેવડિયાની આજુબાજુના ૫૦ કિલોમીટરની ત્રિજ્યામાં કમલમનું વાવેતર તથા જાળવણી માટે ૧૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં વન વિસ્તાર સિવાયના વિસ્તારમાં સામાજિક વનીકરણ માટે ૨૧૯ કરોડની જોગવાઈ કરાઈ છે.