ઘઉં અને લોટની વધી રહેલી કિંમતો પર અંકુશ લગાવવા માટે કેન્દ્ર સરકાર જથ્થાબંધ ગ્રાહકોને ઘઉં વેચવાની યોજના બનાવી રહી છે. આગામી મહિનાથી આટા મીલર્સ અને બિસ્કીટ નિર્માતાઓને ઘઉં વેચવામાં આવશે. સરકારે ભારતીય ખાદ્ય નિગમ (એફસીઆઈ)ને પોતાના સ્ટોકથી 23250 રૂપિયા પ્રતિ ટને ઘઉં વેચવાની મંજુરી આપી છે.
![ઘઉં અને લોટની વધાતા જતાં ભાવ પર અંકુશ મેળવવા સરકાર હોલસેલ વેપારીઓને ઘઉં વેંચશે… ઘઉં](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
જે હાલની ખુલ્લા બજારની કિંમતોથી લગભગ 12 ટકા ઓછી છે.જોકે એફસીઆઈએ હજુ સુધી નકકી નથી કર્યુ કે તે ખુલ્લા બજારમાં કેટલા ઘઉં વેચવાની યોજના બનાવી રહ્યું છે. એફસીઆઈએ ગત વર્ષે જુનમાં ખાનગી કંપનીઓને ઘઉં વેચવાનું શરૂ કર્યું હતું.માર્ચ 2024 સુધીમાં એક કરોડ ટનથી વધુ ઘઉં વેચવામાં આવ્યા છે.
![ઘઉં અને લોટની વધાતા જતાં ભાવ પર અંકુશ મેળવવા સરકાર હોલસેલ વેપારીઓને ઘઉં વેંચશે… ઘઉં](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
એક વર્ષમાં 6 ટકા દામ વધ્યા:
એક ડીલરે જણાવ્યું હતું કે એફસીઆઈ આકર્ષક ભાવે ઘઉં વેચશે.એટલે મોટા પ્રમાણમાં ખાનગી કંપની કે જથ્થાબંધ ગ્રાહક ખરીદીમાં રસ દેખાડશે આથી ઘઉંની કિંમત એક વર્ષમાં 6 ટકા સુધી વધી ગઈ છે.
Visit Saurashtra Kranti E-paper here