હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ સીડીએલયુના મલ્ટીપર્પસ 13 વિકાસ પરિયોજનાઓનું શિલાન્યાસ તથા ઉદ્ધાટન કર્યું છે. મુખ્યમંત્રીએ કાર્યકરો સમક્ષ મંચ પર જ અધિકારીઓને ચેતવણી આપી દીધી કે, અમારા નેતા કહે છે કે, આ ભાજપની ઘંટી છે, જે અત્યંત બારીક દળે છે. પરંતુ ધીમે-ધીમે દળે છે. હું અધિકારીઓને જણાવી દઉ કે, મારી વાળી ઘંટી ઝડપથી દળશે અને બારીક દળશે.
![હરિયાણાનાં મુખ્યમંત્રીએ અધિકારીઓને ખુલ્લે આમ ધમકી દિધી… અધિકારીઓ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
મુખ્યમંત્રીએ પક્ષના કાર્યકરોને ઓક્ટોબર-24માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહેવાનો સંદેશ આપ્યો છે, જેમાં અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, અમારા કાર્યકરો ખોટુ કામ કરતા નથી. તે લોકો માટે કામ કરે છે. અને આપણી ફરજ છે કે, આપણે લોકોના કામ પૂરા કરીએ.
![હરિયાણાનાં મુખ્યમંત્રીએ અધિકારીઓને ખુલ્લે આમ ધમકી દિધી… અધિકારીઓ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
જો કોઈએ ધક્કો ખવડાવ્યો તો હું તમને ધક્કા ખવડાવવામાં એક્સપર્ટ છું. મારો એજન્ડા સ્પષ્ટ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જો કોઈ કાર્યકર ચંદીગઢ આવીને મને કહે કે કોઈ અધિકારીએ અમને હેરાન કર્યા છે તો હું તે અધિકારીને મુશ્કેલીમાં મુકીશ. અમે ઈચ્છીએ છીએ કે લોકોનુ કામ થાય.
Visit Saurashtra Kranti E-paper here