દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને આજે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. હવે જામીન પરના પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટમાં 26 જૂને સુનાવણી હાથ ધરવામાં આવશે. અરજીમાં દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. હાઈકોર્ટે શુક્રવારે કેજરીવાલના જામીન પર વચગાળાનો સ્ટે મુકી દીધો હતો. આના એક દિવસ પહેલા રાઉઝ એવન્યુ કોર્ટે તેને નિયમિત જામીન આપ્યા હતા.
અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન પરના સ્ટે સામે સુપ્રીમ કોર્ટમાંથી આજે રાહત મળી નથી. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ એસવીએન ભાટીની વેકેશન બેન્ચે કહ્યું કે અમે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોઈશું. અમે બુધવારે આ મામલે સુનાવણી કરીશું. એટલે કે કેજરીવાલની અરજી પર 26 જૂને સુનાવણી થશે.
સુનાવણી દરમિયાન EDએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે હાઈકોર્ટનો આદેશ આવવા દો. જો હાઈકોર્ટે કહ્યું કે તે 2 દિવસમાં નિર્ણય આપશે. આ પરિસ્થિતિમાં સમસ્યા શું છે? તેના પર કેજરીવાલના વકીલ સિંઘવીએ કહ્યું કે આ યોગ્ય નથી. જ્યારે નિર્ણય મારા પક્ષમાં આવ્યો તો પછી કેમ રોકાઈ? સિંઘવીએ કહ્યું કે EDએ 48 કલાકનો સમય માંગ્યો હતો પરંતુ રાઉઝ એવન્યુ કોર્ટે આપ્યો ન હતો. આ કોર્ટે હાઈકોર્ટના આદેશ અને પ્રક્રિયા પર સ્ટે મૂકવો જોઈએ
સિંઘવીએ કહ્યું કે જામીન મળ્યા બાદ હાઈકોર્ટે તેના પર સ્ટે મુક્યો હતો. આ સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર નથી, એસજી મહેતાએ કહ્યું કે વેકેશન બેન્ચે બે દિવસમાં આ નિર્ણય આપ્યો છે. આ સંપૂર્ણપણે ખોટું છે. નીચલી કોર્ટે પોતાના આદેશમાં લખ્યું છે કે તે ઈડીના દસ્તાવેજો જોઈ શકી નથી. સિંઘવીએ કહ્યું કે ઈડીએ આદેશની નકલ વગર હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. EDએ કહ્યું કે જ્યારે આદેશ પાછળથી આવ્યો ત્યારે તેની કોપી આપવામાં આવી હતી.
Visit Saurashtra Kranti E-paper here