રાવપુરા મેઈન રોડ પર ટાવર સામે આવેલી એ રોય એન્ડ કંપનીની પાસેની દુકાનમાં કોઈ કારણસર આગ લાગતા ઉપરના માળ સુધી આગ ફેલાઈ હતી. આ સાથે બીજી પણ બે થી ત્રણ દુકાનો આગમાં લપેટાઈ ગઈ હતી. આગની પ્રચંડ જ્વાળાઓને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા બહાર નીકળી આવ્યા હતા.
![વડોદરામાં પાંચ દુકાનો ભભૂકી ઉઠી આગમાં : દુકાનોમાં આગ આગમાં પ્રસરતાં ભારે નુકશાની આગ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા થી આગ કાબુમાં લેવા વહેલી સવારથી પાણી અને ફોમનો મારો ચલાવવામાં આવ્યો હતો પાંચ કલાક પછી આગ કાબુમાં આવી ગઈ હતી દવાના જથ્થાને કારણે આગ ઝડપભેર પ્રસરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. વીજ કંપનીની ટીમ દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.
![વડોદરામાં પાંચ દુકાનો ભભૂકી ઉઠી આગમાં : દુકાનોમાં આગ આગમાં પ્રસરતાં ભારે નુકશાની આગ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
જ્યારે,પોલીસ દ્વારા પણ આ બનાવની તપાસ હાથ ધરાઈ છે.ઉપરોક્ત બનાવને કારણે રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે વૈકલ્પિક માર્ગ દ્વારા વાહન વ્યવહાર પૂર્વ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
![વડોદરામાં પાંચ દુકાનો ભભૂકી ઉઠી આગમાં : દુકાનોમાં આગ આગમાં પ્રસરતાં ભારે નુકશાની આગ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti E-paper here