ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલ જવાબદારોને સરકાર છોડશે નહીં :ઋષિકેશ પટેલ

ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલ દરેક જવાબદારોને સરકાર નહીં છોડે: ઋષિકેશ પટેલ
ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલ દરેક જવાબદારોને સરકાર નહીં છોડે: ઋષિકેશ પટેલ

રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડની તપાસ કરવા માટે રાજય સરકાર દ્વારા પોલીસ અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ ‘સીટ’ ની રચના કરાઈ હતી. જેમણે તેમનો પ્રાથમિક રિપોર્ટ 31મેના રોજ રાજય સરકારને સુપરત કરી દીધો હતો.જેના આધારે આ દુર્ઘટનામાં પ્રથમ દ્દષ્ટિએ સામેલ જણાતા 6 અધિકારીને તો તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા. એવી જ રીતે રાજકોટ મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની પણ બદલી કરી દેવાઈ હતી.

દરમ્યાનમાં સરકારે સીટને વધુ ઝીણવટભરી તપાસ કરીને આ દુર્ઘટનાનો ડિટેઈલ-રીપોર્ટ સરકારને સોંપવાનો આદેશ કર્યો હતો. જેના પગલે તમામ સંબંધિતોના નિવેદનો લેવાઈ રહ્યાં છે. દસ્તાવેજી પુરાવા એકત્રિત કરાઈ રહ્યા છે અને હવે આગામી 20મી જૂન સુધીમાં સીટ વિસ્તૃત રિપોર્ટ રાજય સરકારને સોંપશે. જેના આધારે રાજય સરકાર આ દુર્ઘટનામાં સામેલ કે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનું મન બનાવી ચૂકી છે.

આ અગ્નિકાંડ અંગે હાઈકોર્ટે પણ સુઓમોટો સુનાવણી હાથ ધરી છે. જેની મુદત 20 જૂન છે એટલે કે આ વિસ્તૃત રિપોર્ટ મળ્યા બાદ સરકાર આ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરશે.રાજયમાં લોકસભાની ચૂંટણીને લઈ 16મી માર્ચથી 6ઠ્ઠી જુન સુધી ચૂંટણી આચારસંહિતા અમલમાં હતી એટલે રાજય મંત્રીમંડળની બેઠક મળી શકી ન હતી પરંતુ હવે, આચારસંહિતા પૂરી થયા બાદ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને પ્રથમ મંત્રીમંડળની બેઠકો મળી હતી. જેમાં આ મુદ્દે પણ વિગતે ચર્ચા કરાઈ હતી.

ગેમઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલ જવાબદારોને સરકાર છોડશે નહીં :ઋષિકેશ પટેલ સરકાર

પત્રકાર પરિષદમાં એક પ્રશ્ર્નના જવાબમાં રાજય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટનો બનાવ અતિ ગંભીર અને સંવેદનશીલ છે. રાજય સરકાર તેમાં સામેલ, સંડોવાયેલા કે જવાબદારોને છોડવા માંગતી નથી. તેમને દાખલારૂપ સજા થાય તે માટે સરકાર પ્રતિબધ્ધ છે. આ ઘટનાની તપાસમાં આઈએએસ કે આઈપીએસ કક્ષા સહિતના તમામ સંબંધિત અધિકારીઓના પણ નિવેદનો લેવાશે અને સઘન તપાસ કરાશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here