વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ મિશન માટે મનસુખ માંડવિયાની પસંદગી કરી : મેકઈન ઈન્ડીયા – ઓલિમ્પિકનું મિશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ મિશન માટે મનસુખ માંડવિયાની પસંદગી કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ મિશન માટે મનસુખ માંડવિયાની પસંદગી કરી

વૈશ્વિક કક્ષાએ ભારતનું નામ ઉજળું બને તે માટે ડો.મનસુખ માંડવિયાને રમત ગમત મંત્રાલય સોંપાયું છે.બેરોજગારીની સમસ્યા ઉકેલવા, નવાશ્રમ કાયદાની અમલવારીને અપાશે પ્રાથમિકતા : ચાર નવા લેબર કોડ લાગુ કરવાનો પડકાર પણ ઝીલશે.

કેન્દ્રીય પ્રધાનમંડળમાં વહેચણીમાં મોટાભાગના મંત્રીઓના ખાતામાં ફેરફાર કરવામાં આવ્યો નથી. કોરોના દરમિયાન નેત્રદીપક કામગીરી કરનાર મનસુખભાઈ માંડવિયાનું ખાતુ બદલાતા ઘણાને આશ્ચર્ય થયું હતું. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ કહે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ મિશન માટે માંડવિયાની પસંદગી કરી છે.

તાજેતરની ચૂંટણીમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી તથા શ્રમિકોમાં નારાજગી હોવાની પ્રતિષ્ઠીત થઈ છે. મેક ઈન ઈન્ડિયા સફળ બનાવવા ભારત સરકારે ચાર નવા લેબર કોડ બનાવ્યા છે પરંતુ કાર્યક્રમ અને કુનેહવાળા શ્રમમંત્રીના અભાવે આ લેબરકોડ હજી સુધી લાગુ થઈ શકયા નથી. આવનારા સમયમાં નવા શ્રમ કાનૂન લાગુ કરવા અને રોજગારીનો દર સુધારી બેરોજગારી ઓછી કરવા માટે ભારત સરકાર માટે સૌથી મોટી સમસ્યા અને પડકાર રોજગાર છે.

ડો.મનસુખ માંડવિયાને આ જવાબદારી મોટી હોવાનું મનાય છે.ભારત ઓલિમ્પિર મેમ્સની યજમાની કરવાનું છે.ત્યારે વૈશ્વિક કક્ષાએ ભારતનું નામ ઉજળું બને તે માટે ડો.મનસુખ માંડવિયાને રમત ગમત મંત્રાલય સોંપાયું છે.