![મહાનગરપાલિકા દ્વારા રવિવારેઅંધ સર્વોદય મંડળના માધ્યમથી કોન્સર્ટ અંતર્ગત સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાશે મહાનગરપાલિકા દ્વારા રવિવારેઅંધ સર્વોદય મંડળના માધ્યમથી કોન્સર્ટ અંતર્ગત સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાશે](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
વાઈબ્રન્ટ ગુજરાત સિવિક એન્ગેજમેન્ટ અને સિટી બ્યુટીફીકેશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંધ સર્વોદય મંડળના માધ્યમથી સંગીત સંધ્યા કાર્યક્રમ તા.31/12ના રોજ સાંજે 4:30 કલાકથી અરવિંદભાઈ મણીઆર ઓડીટોરિયમ, જ્યુબિલિ ગાર્ડન, જ્યુબિલિ ચોક પાસે, રાજકોટ ખાતે યોજાશે.
Visit Saurashtra Kranti Homepage here
આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય, કાર્યક્રમના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયાના વરદ હસ્તે કરવામાં આવશે. અંધ સર્વોદય મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી બેરોજગાર પ્રજ્ઞાચક્ષુ કલાકારોને સ્ટેજ પુરૂ પાડવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલિયા, ડો.માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, અંધ સર્વોદય મંડળના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના ઈ.ચા.નાયબ કમિશનર એચ.આર.પટેલ તથા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી વગેરે ઉપસ્થિત રહેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંધ સર્વોદય મંડળના માધ્યમથી આયોજીત સંગીત સંધ્યા માણવા શહેરીજનોને ખાસ અપીલ અને અનુરોધ કરવામાં આવે છે.
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here