રાજકોટ શહેરમાં છેલ્લા એક અઠવાડીયામાં શરદી-ઉધરસના 1541,ઝાડા-ઉલટીના 260 કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં છેલ્લા એક અઠવાડીયામાં શરદી-ઉધરસના 1541,ઝાડા-ઉલટીના 260 કેસ નોંધાયા
રાજકોટ શહેરમાં છેલ્લા એક અઠવાડીયામાં શરદી-ઉધરસના 1541,ઝાડા-ઉલટીના 260 કેસ નોંધાયા
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. 

Visit Saurashtra Kranti Homepage here

આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ મેલેરિયા ફિલ્ડવર્કર – 56, અર્બન આશા – 415 અને વી.બી.ડી વોલેન્ટીયર્સ – 115 દ્વારા તા.18/12 થી તા.24/12 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 48,999 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 735 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. તા.18-12 થી તા..24-12 સુધીમાં મેલેરીયા 1, ડેન્ગ્યુ  1 અને ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા છે. અન્ય રોગચાળાની વિગત જોઈએ તો શરદી-ઉધરસના 1541, સામાન્ય તાવના 113 અને ઝાડા-ઉલટીના 260 કેસ નોંધાયા છે.

Read National News : Click Here

ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 774 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 278 અને કોર્મશીયલ 3 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here