ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચારનો શંખનાદ કરતા નરેન્દ્ર મોદી

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચારનો શંખનાદ કરતા નરેન્દ્ર મોદી
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચારનો શંખનાદ કરતા નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી બે દિવસ માદરે વતન ગુજરાતની મુલાકાતે છે. આજે બપોરે પ્રધાનમંત્રીએ શકિતપીઠ અંબાજી મંદિરે જગત જનની માઁ અંબાની પુજા અર્ચન કરતી મહાઆરતીનો લાભ લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

મહેસાણા જિલ્લાના ખેરાલુના ડભોકા ખાતે રૂ. 5950 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કર્યુ હતું. જંગી જાહેરસભા સંબોધી હતી. આજે સાંજે વડાપ્રધાન સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં સામેલ થશે. રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે. કાલે પી.એમ. કેવડિયા કોલોની માં વિવિધ વિકાસ કામોને લીલીઝંડી આપશે.ગુજરાતની મુલાકાતના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આજે 5950 વિકાસ કામોનું ખાતમુહુર્ત અને લોકાપર્ણ કર્યુ હતું. જંગી જાહેર સભા પણ સંબોધી હતી. પી.એમએ ગુજરાતમાં આડકતરી રીતે લોકસભાની ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. ખેરાલુમાં જંગી જાહેરસભા સંબોધી હતી. લોકસભાની ચુંટણીમાં ગુજરાતની તમામ ર6 બેઠકો ભાજપ જીતી રહ્યું છે. આ વખતે કોંગ્રેસના સફાયાની હેટ્રીક સાથે ભાજપના ઉમેદવારો પાંચ લાખની મતની લીડ સાથે જીતે તે માટેનો ટારગેટ સેટ કરવામાં આવ્યો છે. આ ટારગેટને હાંસલ કરવા પ્રદેશ ભાજપ દ્વારા સતત કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. દરમિયાન આજથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ચુંટણી પ્રચારનો શંખનાદ કર્યા છે. પી.એમ.ની બે િેદવસની ગુજરાતની મુલાકાત સરકાર અને સંગઠન માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આજે વડાપ્રધાનના હસ્તે ભારતીય રેલવેના રૂ. 4680 કરોડના ર પ્રોજેકટ જેમા નવા ભાડાથી નવા સાણંદની વચ્ચે પશ્ર્ચિમ ડેડી ફ્રેટ કોરિડોરનું લોકાર્પણ, વિરમગામ સામખાણી રેલવે લાઇનનું ડબલીં ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટકચર ડેવલપમેન્ટ કોર્પોરેશનનો રૂ. 450 કરોડના કટોસણ બેચરાજી બ્રોડ ગેજ રેલ લાઇનનું ખાતમુહુર્ત, જયશકિતથી સમૃઘ્ધ ગુજરાત પાણી  પુરવઠા વિભાગના રૂ. 210 કરોડના 4 પ્રકલ્યો, સિંચાઇની સુદરૂ બનાવવા જળ સંશાધન વિભાગના રૂ. 170 કરોડના પ્રોજેકટ, માર્ગ અને મકાન વિભાગના 170 કરોડના પ્રોજેકટ અને શહેરી વિકાસ વિભાગના રૂ. 170 કરોડના સહીત રૂ. 5950 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.સરદાર જયંતિ નિમિતે કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ વિશ્ર્વની સૌથી ઉંચી  સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં ઉપસ્થિત રહી પોલીસદળના જવાનો દ્વારા થનારી એકતા પરેડનું નિરીક્ષણ કરશે અને તમામ લોકોને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ પણ લેવડાવશે.

Read National News : Click Here

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પ્રવાસીઓના હરવા ફરવા માટે ગ્રીન ઇનિશિયેટીવના ભાગરૂપે ઓથોરિટી દ્વારા ડીઝલથી ચાલતી બસોના સ્થાને હવે ઇલેક્ટ્રિક બસો ચલાવવામાં આવશે. આ સાથે જ, પ્રવાસીઓને એકતાનગરનો સર્વાંગી અનુભવ પ્રદાન કરવા માટે તેમજ તેઓને ટ્રાન્સપોર્ટેશન માટે એક હરિત માધ્યમ એટલે કે ગ્રીન મોડ ઉપલબ્ધ કરાવવા માટે ઓથોરિટીએ સાયકલ શેરિંગ સિસ્ટમનું આયોજન કર્યું છે, જે પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં ફરવા માટે ઓછા ખર્ચે પર્યાવરણને અનુકૂળ મોબિલીટી પ્રદાન કરશે. એકતાનગરમાં પર્યાવરણીય ટકાઉપણાને તેમજ સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન  નેટવર્કના વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી તમામ ઘરોમાં ‘પાઇપ્ડ નેચરલ ગેસ’ સપ્લાય કરવા માટે ગુજરાત ગેસ લિમિટેડ  દ્વારા સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશનનું આયોજન કરવામાં આવ્યું છે,એકતાનગરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે લગભગ રૂ.100 કરોડના ખર્ચે એક વિઝિટર્સ સેન્ટર નિર્માણ કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત કાલે વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. આ વિઝિટર્સ સેન્ટર એક રિસેપ્શન સેન્ટર તરીકે કાર્ય કરશે, જે પ્રવાસીઓને માહિતી અને દિશા પ્રદાન કરશે. તેમાં પ્રવાસીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડતી દુકાનો, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ, આરામ અને મનોરંજનની જગ્યાઓ પણ બનાવવામાં આવશે.આ સાથે જ, રૂ. 7.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કમલમ્ પાર્કનું પણ લોકાર્પણ વડાપ્રધાન  દ્વારા કરાશે. આ પ્રોજેક્ટમાં એકતાનગર ખાતે નર્મદા નદીના ડાબા કિનારે ડ્રેગન ફ્રૂટ, કે જે ભારતમાં ‘કમલમ’ તરીકે જાણીતું  છે, તેની નર્સરી બનાવવામાં આવી  છે.

જીએમઆર વરાલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા એકતાનગર ખાતે એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર કાર્યરત છે. આ સેન્ટર ખાતે વિવિધ કોર્સ હેઠળ તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. આ કોર્સીસમાં ઇ-ઓટો ડ્રાઇવર, લાઇટ મોટર વ્હીકલ ડ્રાઇવર, હાઉસકીપીંગ અને રૂમ અટેન્ડન્ટ, આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન, ફ્રન્ટ ઓફિસ એસોસિયેટ, કોમ્પ્યુટર/ડેટા એન્ટ્રી ઓપરેટર, આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટ, ફૂડ એન્ડ બેવરેજીસ સ્ટુઅર્ડ, કડિયાકામ ટેક્નિશિયન અને ટુરિસ્ટ ગાઇડ જેવા કુલ 10 કોર્સનો સમાવેશ થાય છે. માર્ચ 2023 સુધીમાં આ સેન્ટરમાંથી કુલ 1141 તાલીમાર્થીઓ પાસ થયા છે અને 787 તાલીમાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે, અથવા તો તેઓ સ્વરોજગાર ધરાવે છે.

ઉત્તર ગુજરાતમાં ઓબીસી સમાજના મતો અંકે કરવા  ‘મોદી વિઝન’

ઉત્તર ગુજરાતમાં આદિવાસી   મતદારોનું વધુ પ્રભુત્વ  જોવા મળે છે અહી ઓબીસી સમાજના મતદારો  પણ નિર્ણાયક છે. લોકસભાની   ચૂંટણી  પ્રચારના શ્રીગણેશ કરતા વડાપ્રધાને ખૂબજ લાંબુ વિઝન  કામે લગાડયું છે. લોકસભામાં ભાજપ ગુજરાતમાં છેલ્લી બે    ચૂંટણીથી તમામ 26 બેઠકો જીતી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં  પણ ભાજપ  182 બેઠકો પૈકી   156 બેઠકો જીતી  ચૂકયું છે. હવે પીએમની નજર માત્ર લોકસભા  2024 ઉપર છે તેવું નથી. આ પૂર્વે  ગુજરાતમાં યોજાનારી ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલીકાની ચૂંટણી  પર ટકેલી છે. ગુજરાતમાં  ઓબીસી સમાજની વસતી  સૌથી વધુ છે. આવામા પીએમએ પોતાનું  વિઝન ઉતર ગુજરાત તરફ કેન્દ્રીત કર્યું છે. ગુજરાતનાં   ભાજપના નેતાઓ વામણા પુરવાર થાય ત્યારે ખૂદ મોદી મોરચો  સંભાળી લ્યે છે. ફરી એકવાર આવું થયું છે. ર્માં  અંબાના દર્શન કરવા અને  ખેરાળુમાં  ચૂંટણી સભા સંબોધવીએ મોદીની એક વ્યુહરચનાનો ભાગ જ માનવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here