સ્વાસ્થ્ય અને પર્યાવરણના હિતાર્થે 3 જૂને ‘સાઈકલ ટુ વર્ક’ અપનાવીએ

સ્વાસ્થ્ય અને પર્યાવરણના હિતાર્થે 3 જૂને ‘સાઈકલ ટુ વર્ક’ અપનાવીએ
સ્વાસ્થ્ય અને પર્યાવરણના હિતાર્થે 3 જૂને ‘સાઈકલ ટુ વર્ક’ અપનાવીએ
આગામી તા.3-જુનનાં રોજ વિશ્ર્વભરમાં ‘વર્લ્ડ સાઈકલ ડે’ ની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે શહેર પણ જન સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણની સુરક્ષા અને જાળવણીનાં સંકલ્પને વધુને વધુ દ્રઢ બનાવવાના આ અવસર પર પોતાનું યથોચિત યોગદાન આપે તેવી અપેક્ષા સાથે રાજકોટ મહાનગરપાલિકાએ સૌ નાગરિકોને આ દિવસે પોતાની ઓફિસ વ્યવસાય સ્થળ, શાળા કોલેજ, કે પછી અન્ય કોઈ કામ સબબ આવવા જવા માટે સાઈકલનો ઉપયોગ કરે તેવી મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જાહેર અપીલ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

અત્રે એ ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે, રાજકોટવાસીઓમાં સાઈકલનાં ઉપયોગને લઈને વધુને વધુ જાગૃતિ આવી રહી છે. એમાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાઈકલના ઉપયોગને મહત્તમ પ્રોત્સાહન મળે તે માટે વખતોવખત સાઈકલ રેલી કે સાઈક્લોથોન જેવી ઇવેન્ટનું આયોજન કરવામાં આવતું રહયું છે. સાથોસાથ સાયકલનાં ઉપયોગનો વ્યાપ વધે અને પ્રદુષણની માત્ર ઘટે તેમજ સાયકલીંગ કરવાથી આરોગ્ય સારુ રહે તેવા શુભ હેતુથી સાઈકલની ખરીદી પર લોકોને રૂ.1000 ની સબસિડી પણ આપવામાં આવી રહી છે. સાઈકલિંગ ક્ષેત્રની વાત કરીએ તો રાજકોટ શહેરમાં ઓછામાં ઓછા 30 હજાર જેટલી સાયકલનો નિયમિત ઉપયોગ કરનારા છે તેવું અનુમાન છે, પરંતુ ખરા અર્થમાં મહત્તમ સંખ્યામાં લોકો તેમના રોજબરોજના કામોમાં ગખઝ (નોન મોટરાઈઝડ ટ્રાન્સપોર્ટ) તરફ પ્રયાણ કરવા માટે રીક્રીએશનલ/સ્પોર્ટના ઉપયોગને બદલે રોજબરોજની મુસાફરી લોકો સાયકલ પર કરે તે ઈચ્છનીય છે.

વિશેષમાં, આગામી તા.3-જુનનાં રોજ ‘વર્લ્ડ સાઈકલ ડે’નાં રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાઈકલ રેલીનું આયોજન પણ કરવામાં આવનાર છે. જેમાં વધુ ને વધુ રાજકોટવાસીઓ ભાગ લેશે તેવી અપેક્ષા છે. રાજકોટમાં સાઈકલનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા રોજબરોજ વધી રહી છે એ ઉત્સાહપ્રેરક હકિકત છે.
ભારત સરકારના પ્રતિષ્ઠિત સાયકલ ફોર ચેન્જ અભિયાનમાં રાજકોટને લેવલ-2 માં સ્થાન મળેલ છે. આ ઉપરાંત વિશ્ર્વની પ્રતિષ્ઠિત ઈંઝઉઙ સંસ્થા દ્વારા શરૂ કરાયેલ ગ્લોબલ કોહોર્ટમાં ભારતના પાંચ શહેરોનો સમાવેશ કરાયેલ છે, તે પૈકી રાજકોટનો પણ સમાવેશ થયેલ છે. રાજકોટ શહેર માટે આ ગર્વની બાબત છે. શહેરીજનોના સાનુકૂળ પ્રતિસાદને કારણે જ આ બાબત શક્ય બનેલ છે.

રાજકોટ મહાનગપાલિકા દ્વ્રારા રાજકોટના શહેરીજનોને ઊગઉ ઝઘ ઊગઉ ઈઘગગઊઈઝઈંટઈંઝઢ મળી રહે તે ઉદેશને ધ્યાને રાખી સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત થતી આધુનિક સાઈકલ શેરિંગ પ્રોજેક્ટ રેસકોર્ષ ખાતે શરૂ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાને સાયકલ ફોર ચેન્જ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી બદલ મળેલ રૂ. 1 કરોડની રકમ પણ આ અગાઉ મળી ચુકી છે.

Read About Weather here

આ અગાઉ પણ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના ‘ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત’ અભિયાન હેઠળ આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘સાઈકલોથોન’ નું આયોજન કરવામાં આવેલ હતું અને એ ઇવેન્ટને રાજકોટવાસીઓનાં સાથસહકાર સાથે સફળતા મળી હતી એ સર્વવિદિત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here