રાજકોટમાં છેલ્લા લગભગ બે મહિનાથી એકધારી ગરમી પડી રહી હોવાથી રોગચાળો પણ વધતો રહ્યો છે. ગયા એક સપ્તાહમાં શરદી-ઉધરસનાં કેસો નોંધાયા છે. જયારે ઝાડા-ઉલ્ટીનાં 109 અને તાવનાં 71 કેસો નોંધાયા છે. લાંબા સમયબાદ પહેલીવાર મેલેરીયાનો પણ એક કેસ નોંધાયો છે.
Visit Saurashtra Kranti Homepage here
મહાનગરપાલિકાનાં આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળો રોકવા માટે પગલા વેગવાન બનાવવામાં આવ્યા છે. ફોગીંગ સહિતની કામગીરી સતત કરવામાં આવી રહી છે. એક સપ્તાહમાં 15338 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી અને 125 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું.
Read About Weather here
મચ્છરોની ઘનતા વધુ હોય એવા વિસ્તારો સોરઠીયા પ્લોટ, કેવડાવાડી, સ્લમ ક્વાર્ટર, ધાંચીવાડ, લલુડી વોકળી, કોઠારીયા કોલોની, રેલનગર, પોપટપરા, પરસાણાનગર, અંકુર સોસાયટી વગેરે વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીનથી સઘન ફોગીંગ કરવામાં આવ્યું હતું. એ જ રીતે રહેણાંક અને વાણિજ્ય વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું 185 સ્થળો પર ચેકિંગ કરીને મચ્છર ઉત્પતિ બદલ નોટીસો અપાઈ હતી અને વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here