મોતનાં LIVE દૃશ્યો

મોતનાં LIVE દૃશ્યો
મોતનાં LIVE દૃશ્યો
કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે એલ.એચ.રોડ વરાછા જોન ઓફિસની સામે માનસી પેલેસમાં રહેતા ભરતભાઈ વીરજીભાઇ લાખણકિયાની વાલક પાટિયા ખાતે અન્નપૂર્ણા નામની રેસ્ટોરેન્ટ ધરાવે છે. સુરતના વાલક પાટિયા પર આવેલી એક રેસ્ટોરન્ટથી ઘરે જતા માલિકની બાઈક ઓવરબ્રિજની રેલિંગ સાથે ભટકાયા બાદ વરાછા ઓવરબ્રિજ ઉપરથી નીચે પટકાયા હોવાની ઘટનાના CCTV સામે આવ્યા છે. એટલું જ નહીં, પણ દસ દિવસ પહેલાં બનેલી કરુણ દુર્ઘટનામાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

ભરતભાઈ તારીખ 17 જાન્યુઆરીના રોજ પોતાની જી-રેસ્ટોરેન્ટ પરથી ઘરે પરત આવી રહ્યા હતા. દરમિયાન હીરાબાગ રોમન પોઇન્ટ કોમ્પ્લેક્સની સામે ઓવરબ્રિજ પરથી પોતાની બાઇક લઇ પસાર થતી વખતે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બાઇક ઓવરબ્રિજના સાઈટની રેલિંગ સાથે અથડાઈ ગઈ હતી. સારવાર દરમિયાન ગુરુવારના રોજ રાત્રિએ તેમનું મોત નીપજ્યું હતું.

Read About Weather here

આ અંગે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરતભાઈને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર પરિલ છે. બંને પુત્રીઓનાં લગ્ન થઈ ગયાં છે.પોલીસે વધુમાં જણાવ્યું હતું કે અકસ્માતમાં ભરતભાઈ લગભગ 80-100 ફૂટ બ્રિજ ઉપરથી નીચે પટકાતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here