વોર્ડ પ્રભારી અશ્ર્વિન મોલીયાનાં હસ્તે ખાતમુહૂર્ત
વોર્ડ નં.16માં મહેશ્ર્વરી સોસાયટી તેમજ લુહારવાડી મેઈન રોડ બંને બાજુ પાણીના નિકાલ અંગેની સમસ્યાનો અંત લાવવા વિસ્તારવાસીઓની રજૂઆત હતી. તેથી આ રોડની બંને બાજુ અંદાજે રૂ.10 લાખના ખર્ચે પેવિંગ બ્લોક નાખવાની કામગીરી કરાવવામાં આવેલ છે. આ કામ નું ખાતમુહૂર્ત આ વોર્ડના ભાજપના પ્રભારી અને મહાનગરપાલિકાના પૂર્વ ડે.મેયર અશ્ર્નિનભાઈ મૌલીયાના હસ્તે કરવામાં આવેલ હતું.
Read National News : Click Here
Read About Weather here
આ પ્રસંગે વોર્ડ નં.16ના કોર્પોરેટર તથા કાયદો અને નિયમન સમિતી ચેરમેન કંચનબેન સિધ્ધપુરા, ટાઉન પ્લાનીંગ સમિતી ચેરમેન નરેન્દ્રભાઈ ડવ, કોર્પોરેટર સુરેશભાઈ વસોયા, રુચીતાબેન જોષી, વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઇ મિયાત્રા, મહામંત્રી જીતુભાઈ સિસોસીયા, જતીનભાઇ પટેલ, વોર્ડ નં.16 મહિલા મોરચા તમામ બહેનો અને સંગઠનની ટીમ તથા લતાવાસીઓ વિકાસના કાર્યમાં જોડાઈને ખુશીની લાગણી વ્યકત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here