રાજકોટમાં રવિવારે કોળી સમાજનો જીવનસાથી પસંદગી મેળો યોજાશે

રાજકોટમાં રવિવારે કોળી સમાજનો જીવનસાથી પસંદગી મેળો યોજાશે
રાજકોટમાં રવિવારે કોળી સમાજનો જીવનસાથી પસંદગી મેળો યોજાશે

વેક્સિન લીધી હશે તેમને પ્રવેશ અપાશે: વેક્સિન કેમ્પનું આયોજન: રાજ્ય સરકારના મંત્રી દેવાભાઈ માલમ અને આર.સી.મકવાણાનું સન્માન કરાશે
કોળી શકિત યુવક મંડળ-અમરેલી અને જય વેલનાથ જય માંધાતા સમિતિ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન
રાજકોટમાં રવિવારે કોળી સમાજનો જીવનસાથી પસંદગી મેળો યોજાશે. ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની મુલાકાતે પધારેલા દેવાંગભાઈ કુંકાવા, કલ્પેશભાઈ બાવરીયા, હકાભાઇ સોરાણી, મયુરભાઈ પરનાલીયા, નેમિષભાઈ દાડુકિયા, મનજીભાઈ કોળિયા, રણછોળભાઈ કોળિયા, રમણીકભાઈ માલડીયા, અરુણાબેન મગવાનીયા, મીનાબેન ચૌહાણ, ચેતનાબેન બાદીયા, રમેશભાઈ મકવાણા, જીજ્ઞેશભાઈ બાટીયા, બાબુભાઈ વસવેલીયા અને ભરતભાઈ મકવાણા એ કાર્યક્રમ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.

રાજકોટ સહીત રાજ્યભરમાં રહેતા ચુંવાળીયા, તળપદા, ઘેડીયા, દિવેચા સમસ્ત કોળી સમાજના ઉચ્ચ અભ્યાસ કરતા એજ્યુકેશન ફેમીલીના યુવક-યુવતીઓ માટે કોળી શકિત યુવક મંડળ તથા જય વેલનાથ જય માંધાતા સમિતિના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવારે મોરબી રોડ, જકાતનાકા ચોક, રાજકોટ ખાતે યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજયભરમાં રહેતા ચુંવાળીયા, તળપદા, ઘેડીયા, દિવેચા સમસ્ત કોળી સમાજના ઉચ્ચ અભ્યાસ કરતા એજયુકેશન ફેમીલીના યુવક-યુવતીઓ માટે કોળી શકિત્ત યુવક મંડળ તથા જય વેલનાથ જય માંધાતા સમિતિના સંયુકત ઉપક્રમે રાજકોટ ખાતે જીવનસાથી પસંદગી મેળો તારીખ 9/1/ર0રર રવિવારે મોરબી રોડ જકાતનાકા ચોક, રાજકોટ મુકામે યોજાશે.

તેમજ શહેર-જીલ્લાના કોળી સમાજના તમામ ડોકટરો, વકિલો, શિક્ષકો, પોલીસમિત્રોનું તથા ઉચ્ચકક્ષાના સરકારી કર્મચારીઓનું સ્નેહમિલન રાખેલ છે. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના નવનિયુક્ત રાજય કક્ષાનાં મંત્રી દેવાભાઇ માલમ અને આર. સી. મકવાણાનું જાજરમાન સન્માન સ્વાગત કરવામાં આવશે. વિશેષમાં વેક્સિન કેમ્પ રાખેલ છે.
મુખ્ય મહેમાન તરીકે કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ બાવળીયા, માંધાતા ગ્રુપના સ્થાપક ભુપતભાઇ ડાભી, જય વેલનાથ યુવા મંચના પ્રમુખ દેવભાઈ કોરડીયા તથા કોળી સમાજના નવા ચૂંટાયેલા સરપંચઓ ઉપસ્થિત રહેશે.

આ આયોજનમાં સહભાગી થવા માટે સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો કાર્યકરો, વેપારી, ઉદ્યોગપતિ, બિલ્ડરો, સમાજના તમામ રાજકીય અગ્રણીઓને પધારવા આમંત્રણ પાઠવાયું છે. આ કાર્યક્રમમાં જોડાવા માટે વેક્સિન લીધેલ હશે તેમને પ્રવેશ આપવામાં આવશે.

આ આયોજનને સફળ બનાવવા માટે દેવાંગભાઇ કુકાવાના માર્ગદર્શન હેઠળ રમેશભાઇ ગોહેલ, કલ્પેશભાઇ બાવરીયા, મનજીભાઇ કોબીયા, રમેશભાઇ મકવાણા, જેન્તીભાઇ રાતોજા, અરૂણાબેન મગવાનીયા,

Read About Weather here

શૈલેષભાઇ માલમ જહેમત ઉઠાવી રહયા છે. જીવનસાથી પરિચય મેળામાં જે ઉમેદવાર ભાગ લેવા માંગતા હોય તો અન્ય માહિતી માટે મો.નં. 7984594424, 9374734820, ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.(1.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here