AAPના મોટા કાર્યકરો જેલમાં…!

AAPના મોટા કાર્યકરો જેલમાં...!
AAPના મોટા કાર્યકરો જેલમાં...!
આ પ્રદર્શન દરમિયાન પોલીસ, ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ આપના નેતાઓ સહિત 500ના ટોળા સામે છેડતી સહિતની 18 કલમો હેઠળો ગુનો નોંધાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ત્યાર બાદ પોલીસે 93 લોકોની ધરપકડ કરી હતી. બિન સચિવાલયની હેડક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાં બાદ આમ આદમી પાર્ટીએ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.

20 ડિસેમ્બરે કમલમ ખાતે કરેલા આ પ્રદર્શનમાં આપના ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ સામેલ થયા હતા. જેમાંથી 28 મહિલા અને 65 પુરૂષોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાંથી મહિલાઓને શરતી જામીન આપવામાં આવ્યા હતા. જ્યારે બાકીના 65માંથી એક વ્યક્તિને જ જામીન આપવામાં આવ્યા હતા, આ સિવાયના તમામ એટલે કે 64 લોકો 10 દિવસથી જેલમાં બંધ છે. જો કે જેલમાં બંધ આ નેતાઓને પરિવારજનો મળ્યા હતા, પણ પાર્ટીનો એકપણ નેતા મળ્યો નથી.

આમ આદમી પાર્ટીના લીગલ સેલના પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે ઇસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની જામીન અરજી કોર્ટમાં કરવામાં આવી છે. જેના પર આજે સુનાવણી થઈ હતી. જામીન બાબતે કોર્ટ દ્વારા આવતીકાલે ઓર્ડરની કાર્યવાહી હાથ ધરાશે.

આ અંગે આમ આદમી પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે, પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ, નિખિલ સવાણી સહિતના નેતાઓ અને કાર્યકરો હાલ સાબરમતી જેલમાં બંધ છે.

તેમને મળવા માટે અમારી વકીલોની ટીમ જાય છે. છેલ્લા દસ દિવસથી સાબરમતી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતાઓના પરિવારજનોએ પણ એક-બે વાર મુલાકાત લીધી છે. જેમાં પ્રવીણ રામના ભાઈ, ઇસુદાન ગઢવીના ભાઈ,

ગોપાલ ઇટાલિયાના પત્ની અને નિખિલ સવાણીના પત્નીએ જેલમાં મુલાકાત લઈ વાતચીત કરી હતી. હાલમાં આ નેતાઓ અને કાર્યકરો જેલમાંથી જે જમવાનું આપે છે તે જ જમે છે. ઘરેથી મોકલવાયેલું ટિફિન જમતા નથી.

હસમુખ પટેલ, નિખિલ સવાણી, ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને શીવકુમાર સહિત કુલ 500ના ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની ગાડીઓના કાચ તોડીને નુકસાન કર્યું હતું.

ઇસુદાન ગઢવી નશાની હાલતમાં જણાતા હતા. તેમજ મોઢામાંથી દારૂની પુષ્કળ વાસ આવતી હતી. અમે તથા અમારી સાથેના કાર્યકરોને તેઓને તેમ ન કરવા સમજાવ્યું હતું. પરંતુ તેઓ માન્ય ન હતા, અને સૂત્રોચ્ચાર કરી બળપ્રયોગ કરી દરવાજો તોડવાનો પ્રયત્ન કરતા હતા.

ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રદ્ધા રાજપૂતે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, કમલમ ખાતે ગેરકાયદે મંડળી રચી આશરે 500 માણસોનું ટોળું એક સંપ થઈને કમલમનો ગેટ તોડીને અંદર પ્રવેશ કરી,

Read About Weather here

પગથિયાં પર બેસી અંદર આવવા જવાનો રસ્તો રોકી, મહિલા કાર્યકરો સાથે શારીરિક અડપલાં કરી માર મારી, ભાજપના કાર્યકરો તથા પોલીસ ઉપર તેઓના હાથમાં રહેલા બેનરોમાં લગાડેલી લાકડીઓનો હથિયાર તરીકે ઉપયોગ કરી ઇજાઓ પહોંચાડીને અભદ્ર ભાષા બોલી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here