સરધારમાં ત્રિદિનાત્મક યજ્ઞ: 5 કરોડ આહુતિ આપવામાં આવી

સરધારમાં ત્રિદિનાત્મક યજ્ઞ: 5 કરોડ આહુતિ આપવામાં આવી
સરધારમાં ત્રિદિનાત્મક યજ્ઞ: 5 કરોડ આહુતિ આપવામાં આવી

લાખો ભકતોએ દર્શનનો લાભ લીધો

સરધારધામમાં મહોત્સવમાં સોમવારે વડતાલ પીઠાધિપતિ આચાર્ય પ્રસાદજી મહારાજના વરદ હસ્તે સરધાર સ્વામિનારાયણ મંદિરમાં 40 કિલો સોનાના સિંહાસન પર ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. 1009 ભૂદેવ અને 2000 દંપતી દ્વારા 1000 ડબા ઘી, 2000 કિલો અક્ષત, 40,000 કિલો જવતલ, કમોદ, 1000 કિલો ચંદન કાસ્ટ, 1000 કિલો નવ પ્રકારના સમિધ, 21થી વધુ પ્રકારની જડીબુટ્ટી, 60,000 કિલો કાષ્ટ, ગંગાઆદિ 30 નદીના તીર્થ જળ, ત્રણ મુખ્ય ધામના સમુદ્રજળ વિગેરે વાપરવામાં આવ્યા.

Read Local News / Articles : Saurashtra , Gujarat

5 કરોડ આહુતિ આપવામાં આવી હતી. યજ્ઞશાળા તથા મંદિર ઉપર સંતો દ્વારા હોલીકોપ્ટરમાં બેસી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

Read About Weather here

પ્રધાનકુંડમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા અન્ય સદગુરૂ સંતોના વરદ હસ્તે તથા અન્ય કુંડોમાં દંપતીના હસ્તે બીડું હોમવામાં આવ્યું હતું. સરધારમાં ત્રિદિનાત્મક યજ્ઞમાં લાખો ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here