સિરપ મેં નશા હે…!

સિરપ મેં નશા હે...!
સિરપ મેં નશા હે...!
આ કંપની કંકાસાવ નામની આયુર્વેદિક દવાની બોટલમાં આલ્કોહોલ વેચતી હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસે ફેકટરીમાંથી 30 લાખનો દારુ તથા મશીનરી અને અન્ય સાધનો મળીને 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

સાંકરદા ગામ પાસે આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપની આડમાં દારુ બનાવી આયુર્વેદીક દવાના નામે વેચાણ કરતી ફેક્ટરીનો શહેર પી.સી.બી. શાખાએ પર્દાફાશ કર્યો છે.

અગાઉ કોરોના કાળમાં નકલી સેનિટાઝર બનાવતાં પકડાયેલા નીતિન કોટવાણીએ જ ફરીથી આ ધંધો શરુ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.

સમગ્ર મામલે એફએસએલ તપાસમાં આયુર્વેદિક સિરપની બોટલમાં દારુ હોવાનું જણાયુ હતું અને મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ રાખી નીતિન કોટવાણી અને ભગત બિશ્નોઇ ના નામ બહાર આવતાં પોલીસ તપાસ શરુ કરાઇ છે.

આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે શહેર પી.સી.બી.ના પી.આઇ. જે.જે પટેલને માહિતી મળી હતી કે, શહેર નજીક સાંકરદા ગામ પાસે આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આુયુર્વેદિક સીરપની આડમાં દારૂ બનાવવામાં આવે છે.

અને આયુર્વેદિક દવા કંકાસાવના નામે ખુલ્લા બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે પી.સી.બી.એ ખાત્રી કરીને કંપનીમાં દરોડો પાડ્યો હતો. અને આયુર્વેદિક સિરપની આડમાં દારૂ બનાવી આયુર્વેદિક દવાના નામે વેચાણ કરવાના ચાલી રહેલા વ્યવસ્થિત કૌંભાડનો પર્દાફાશ કર્યો હતો.

દરોડા દરમિયાન રૂપિયા 30 લાખનો દારુ તથા દારુ બનાવાની મશીનરી અને સાધનો માલસામાન મળી રૂા.1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તે સાથે કંપનીના ત્રણ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

એફએસએલ તપાસમાં આયુર્વેદીક સિરપની બોટલમાં દારુ હોવાનું જણાયુછે. પી.સી.બી. પી.આઇ. પટેલે જણાવ્યું હતું કે, કંપનીનો માલિક નીતિન કોટવાણી છે. જે અગાઉ ડુપ્લીકેટ સેનિટાઇઝ બનાવી વેચવાના ગુનામાં પકડાયો હતો

અને ત્યારબાદ તેણે આયુર્વેદિક સીરપની આડમાં આલ્કોહોલ બનાવી આયુર્વેદિક દવાના નામે વેચાણ કરવાનું શરૂ કર્યું હતું.નકલી સેનિટાઇઝર પ્રકરણમાં પોલીસે નીતિન અજિત કોટવાણી (રહે, શિવભક્તિ ફ્લેટ, ગોરવા)ની ધરપકડ કરી તપાસમાં રો-મટીરિયલ મારુતિ કેમ કંપનીના અશોક રામજીભાઇ પટેલએ સપ્લાય કર્યું

હોવાનું બહાર આવ્યું હતું. એફએસએલની તપાસમાં સેનિટાઇઝરમાં મિથાઇલ આલ્કોહોલની મિનિમમ માત્રા 1.2 ટકા અને મેકસીમમ માત્રા 96.1 ટકા હોવાનું બહાર આવ્યું હતું તથા તેનો ઉપયોગ કરવાથી ગંભીર અસર થઇ શકે છે

તેવું બહાર આવ્યું હતું. રોજ ત્રણથી ટાર ટેમ્પા ભરીને આયુર્વેદિક સિરપના નામે દારુ મેડિકલ સ્ટોરમાં આપવા લઇ જવાતો હતો જેથી રાજયભરના મેડિકલ સ્ટોરમાં આ માટે તપાસ કરવામાં આવશે. નીતિન કોટવાણી અને ભગત બિશ્નોઇ ના નામ બહાર આવતાં પોલીસ તપાસ શરુ કરાઇ છે.

Read About Weather here

નકલી સેનિટાઇઝર કેસમાં નીતિન કોટવાણી 1 માસ પહેલા જામીન પર છૂટયો બાદ તેણે દારુ બનાવીને આયુર્વેદિક સિરપના નામે વેચવાનું શરુ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here