ઘટનાની જાણ થતા ગૌરક્ષાપ્રેમીઓએ પશુ ડોકટરને લઈને દોડી ગયા
માણાવદરમાં છેલ્લા ઘણા સમયથી મૂંગા -અબોલ- પ્રાણી -પશુ ઉપર અમાનુષી ત્રાસ વર્તાવાઇ રહ્યો છે. ગયા વર્ષે ત્રણ ખુટીયા માથે એસિડનો છંટકાવ કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને આવા નરાધમ દયાહીન શખ્સોને પકડી તેને સજા કરવા મુખ્યમંત્રી સુધી ફરિયાદો ગઈ હતી પણ કોઈ પરિણામ આવ્યું ન હતું.
Visit Saurashtra Kranti Homepage here
બે દિવસ પહેલા જ એક ગૌવંશ ઉપર કોઇ અજાણ્યા શખ્સોએ કુહાડીના ઘા મારીને લોહીલુહાણ કરી દેતા ગૌરક્ષકો દોડી આવ્યા હતા અને વાછરડાને બચાવી લીધો હતો.
ત્યારે પટેલ ચોક વિસ્તારમાં એક નાના ગલુડિયા ઉપર કોઈએ ગરમ પાણી નાખતા ગલુડિયું ખદબદી ગયું હતું આ ઘટનાની જાણ થતા ગૌરક્ષક પ્રેમીઓ પશુ ડોક્ટરને લઈને દોડી આવ્યા હતા અને ગલુડિયાની સારવાર ચાલુ કરી હતી.
માણાવદર પંથકમાં વારંવાર આવા બનાવો બની રહ્યા છે કેટલાક લોકો માંથી દયા ઉઠી ગઈ છે.
Read About Weather here
હિંસા તરફ જ કેટલાકનું ધ્યાન હોવાનું પુરવાર થઈ રહ્યું છે આવા શખ્સોને ખબર જ છે કે આવા કૃત્યોની તપાસ તો થવાની નથી માટે જ તેવો બેફામ બન્યા છે. ગૌરક્ષક પ્રેમીઓ નાનાગલુડિયાને બચાવી લેવા પ્રયત્નો કરતા દેખાય છે.(7.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here