પાંચાળના વગડાનું ઝરણું અને જસદણનું ઘરેણું લોક્સેવાની મૂડી એવા કિશોરભાઈ કાગડીયા નામના યુવાને સામાજિક સમરસતા અને જનમંગલની શુભ ભાવનાથી આખા શ્રાવણ માસ દરમિયાન જસદણથી ઘેલા સોમનાથ મંદિર સુધીની પદયાત્રા કરી હતી .
દરરોજ વહેલી સવારે પગપાળા 18 કિલોમીટર ચાલીને ઘેલા સોમનાથ દાદાને પ્રાર્થના આરાધના કરી શિષ ઝુકાવતા આ યુવાનની ભાઈચારા અને સદભાવના યાત્રાથી પ્રભાવિત થઈ.
Visit Saurashtra Kranti Homepage here
શ્રાવણ માસના છેલ્લા દિવસે પાંચાળ વિકાસ બોર્ડ પ્રણેતા વિનોદભાઈ વાલાણીએ કિશોરભાઈ કાગડીયાને શિવજીની છબી આપી સન્માનિત કર્યા હતા અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના સાથે અભિનંદન પાઠવ્યા હતા.
Read About Weather here
સૌ ઉપસ્થિત આગેવાનોએ ઘેલા સોમનાથ દાદાના સાનિધ્યમાં શિષ નમાવી દરેક સમાજ એકસૂત્રતાના તાંતણે બંધાય અને દરેક સમાજમાં સામાજિક સમરસતા તેમજ સમાજ એકતાના દર્શન થાય તેવી ઘેલા સોમનાથ દાદાને પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા.(7.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here