યાત્રાધામ વીરપુરમાં છેલ્લા ઘણા વર્ષોથી શાકભાજીની ખેતી કરતા રઘુભાઈ મેર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોતાના ખેતરમાં ચાર વિઘામાં કારેલા અને બે વીઘા જેટલામાં વાલ વાવેલા છે.
પરંતુ હાલ કારેલાનો પૂરતો ભાવ તેમને મળતો નથી પોતે વાવેતર કરેલા કારેલાના ઉતરેલા પાકને યાર્ડમાં વેચવા માટે જાય છે.
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે તેમને દશ કિલો કારેલાનો ભાવ માત્ર પચાસ પૈસાનો કિલો જાય છે જેમને કારણે ક્યારેક તો મજબૂરીમાં ઉતારેલા બધા જ કારેલા ફેંકી દેવાનો વારો પણ આવે છે. તેમજ વાવેતર કરેલા પાકમાં 50 હજારથી વધુ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.
તેમજ કારેલાના દસ કિલોના ભાવ માત્ર પચાસ પૈસા કિલો લેખે જાય છે અને વચેટિયાઓ તે જ કારેલા બજારોમાં દશ રૂપિયા કે 20 રૂપિયા પ્રતિકિલોના ભાવે વેંચતા હોય તો તે ફાયદો વચેટિયાઓને જ થાય છે અને ખેડૂતોને તો માથે ઓઢીને રોવાનો વારો આવે છે અને અત્યારે હાલ વરસાદ ખેંચાયો છે.
Read About Weather here
તો બીજી તરફ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને પોતાના પાકનો યોગ્ય ભાવ નથી મળતો જેમણે કારણે શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત દિનપ્રતિદિન કફોડી બનતી જાય છે.(7.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here