ફાળદંગ ગામે સગીરાનું બેભાન હાલતમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી
આજીડેમ ચોકડી પાસે શીતળાધાર સોસાયટીમાં રહેતા દલિત યુવાને અકળ કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
Subscribe Saurashtra Kranti here
પ્રાપ્ત વિગતો મુજબ શીતળા ધાર સોસાયટીમાં રહેતા મંજૂરીકામ કરતા હાર્દિક દેવજી સોલકી ( ઉ.વ 21) એ પોતાના ઘરે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગેની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.ડી.પરમારે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને નીચે ઉતારી પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Read About Weather here
જ્યારે કુવાડવા રોડ પર આવેલા ફાળદંગ ગામે રહેતા રસિલાબેન બાબુભાઇ ડામોર ( ઉ.વ 17 )નું રાત્રીના સુતા બાદ બેભાન હાલતમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલ અજય નિમાવતે વધુ તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here