ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે નેપિયરમાં ત્રીજી T20 મેચ રમાઈ ગઈ હતી. જેમાં વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે આ મેચ ટાઈ થઈ ગઈ હતી. ત્યારે હવે ટીમ ઈન્ડિયાએ બીજી મેચ જીતી હતી, એટલે તેઓએ આ સિરીઝ પોતાના નામે કરી હતી. ટીમ ઈન્ડિયાએ 9 ઓવરમાં 4 વિકેટે 74 રન બનાવ્યા હતા. ત્યારે ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે સ્કોર એક સરખો હતો. એટલે આ મેચ ટાઈ થઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
આ મેચમાં પ્લેયર ઑફ ધ મેચ મોહમ્મદ સિરાજને બનાવવામાં આવ્યા હતા. તેમણે ધારદાર બોલિંગ કરી હતી. તેમણે આજની મેચમાં 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તો પ્લેયર ઑફ ધ સિરીઝ સૂર્યકુમાર યાદવ બન્યા હતા. તેમણે આ સિરીઝની બીજી મેચમાં શાનદાર સેન્ચુરી ફટકારી હતી.
ન્યૂઝીલેન્ડની ટીમ 19.4 ઓવરમાં જ 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમ એક તબક્કે 15 ઓવરે 129/2નો સ્કોર ધરાવતી હતી. આ પછી મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહે ધારદાર બોલિંગ કરી હતી. બન્નેએ 4-4 વિકેટ ઝડપી હતી. સિરાજે એક શાનદાર રનઆઉટ પણ કર્યો હતો. તો હર્ષલ પટેલને એક વિકેટ મળી હતી. કિવી ટીમ તરફથી સૌથી વધુ ડેવોન કોનવેએ 59 રન બનાવ્યા હતા. તો ગ્લેન ફિલિપ્સે 54 રન બનાવ્યા હતા.
Read About Weather here
ન્યૂઝીલેન્ડની ટીમ એક તબક્કે 129/2નો સ્કોર ધરાવતી હતી. આ પછી 16મી ઓવર કરવા મોહમ્મદ સિરાજ આવ્યા હતા. જેમાં તેમણે ધારદાર બોલિંગ કરતા કિવી ટીમના ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યા હતા. આ પછી તો અર્શદીપ સિંહે પણ ડેવોન કોનવેને આઉટ કર્યા હતા. બે સેટર 2 ઓવરની અંદર જ આઉટ થતા, ન્યૂઝીલેન્ડની ટીમ દબાણમાં આવી ગઈ હતી. અને પછી તો સિરાજ અને અર્શદીપે તરખાટ મચાવ્યો હતો. બન્નેએ પોતાની બોલિંગમાં 4-4 વિકેટ ઝડપી હતી. આ કિવી ટીમે છેલ્લા 23 બોલમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here