વોર્ડ નં.13 શહેર કોંગ્રેસના પ્રમુખ વિજયસિંહ જાડેજા અને R.T.E. માં પ્રવેશથી વંચિત બાળકોના વાલીઓએ ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ની મુલાકાત લીધી હતી. વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, R.T.E.ના નિયમ પ્રમાણે દરેક સ્કૂલમાં 25% એડમિશન ગરીબ બાળકોને આપવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
R.T.E. પ્રવેશથી વંચિત બાળકોને એડમિશન આપવામાં આવે તો શહેરની આશરે 959 સ્કૂલોમાં બાળકોને એડમિશન મળી શકે. R.T.E. હેઠળ શાળામાં પ્રવેશથી વંચિત બાળકોને પ્રવેશ મળે તે માટે આગામી તા.20ને સોમવારે સવારે 11 કલાકે રાજકોટ જીલ્લા શિક્ષણાધીકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે.વિજયસિંહએ અપીલ કરી છે કે, પ્રવેશથી વંચિત બાળકોના વાલીઓએ સોમવારે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવવાનું છે.
Read About Weather here
તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. R.T.E.ના નિયમ પ્રમાણે દરેક સ્કૂલમાં 25 ટકા એડમિશન ગરીબ બાળકોને આપવાના હોય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી અમુક સ્કૂલો પોતાની મનમાની ચલાવી એડમીશન આપતા નથી સહિતની રજૂઆત અગાઉ જીલ્લા શિક્ષણાધિકારીને કરાઇ હોવાનું જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here