રોયટર્સમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર તેના સીઝનલ પ્રકોપથી બચવા અને રોકવા માટે હાલ 1,43,000 મુરઘા-મુરઘીઓને મારવામાં આવશે. જાપાન માં ફરી એકવાર બર્ડ ફ્લૂ ઝડપથી ફેલાઇ રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
ગત વર્ષે જ્યાં તેની અસર ટોચિગી પ્રાંતમાં જોવા મળી તો બીજી તરફ દેશમાં પહેલો કેસ સામે આવ્યા બાદ સરકારી સ્તર પર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વર્ષે શિયાળાની સીઝન પહેલાં આ વાયરસથી પક્ષીઓના મોત અને ત્યારબાદ લોકોની તબિયત બગડવાના સમાચારોએ લોકોને પરેશાન કરીને મુકી દીધા છે.
દેશના ઉત્તર પૂર્વી ભાગમાં સ્થિત એક પોલ્ટ્રી ફાર્મમાં એવિએશન ઇન્ફ્લુએંજા ની પુષ્ટિ થયા બાદ સરકારી તંત્ર હરકતમાં આવી ગયું છે. ગત સોમવારે અને મંગળવારે 190 પક્ષીઓના મોત થયા હતા જેમાંથી 12 માં વાયરસની પુષ્ટિ થઇ હતી.
જે રાજ્યોમાં ફ્લૂની પુષ્ટિ થઇ નથી, તે રાજ્યોમાં પક્ષીઓના સંદિગ્ધ મોત પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે અને તાત્કાલિક રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. જેથી જલદી બચાવના પગલાં ભરી શકાય.
પ્રભાવિત રાજ્યો અને આસપાસ પણ તમામને એવિયન ઇંફ્લુએંજા પર નિર્ધારિત એક્શન પ્લાનનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. હાલ 10 કિલોમીટરના દાયરામાં સ્થિત છ ફાર્મ પર હાલ મુરઘીઓના ઇંડાને બહાર મોકલવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
Read About Weather here
સરકારી મંત્રાલયે જણાવ્યું કે હાલની સ્થિતિઓ વચ્ચે ચિકન અથવા ઇંડાના સેવનથી મનુષ્યોમાં એવિયન ઇન્ફ્લુએંજા ફેલાવવાની સંભાવના બિલકુલ પણ નથી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here