ગૃહમંત્રી હર્ષ સંધવી, વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી સહિતના ધારાસભ્યો ઉપસ્થિત રહેશે
રાજકોટ :રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના 31 ડીસેમ્બરે રાજકોટ ખાતે યોજાનારા વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે સંબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે જિલ્લા કલેકટર મહેશ બાબુએ બેઠક કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
અને સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવા માટેનો ચુસ્ત બંદોબસ્ત કરવા સંબંધિત સમિતિના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. કાર્યક્રમ દરમ્યાન દર્શાવનારી ફિલ્મ, સુશોભન વ્યવસ્થા, લાભાર્થીઓને ચેક વિતરણ, વિકાસ કામોની ઈ તકતીઓ, પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ 31મીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવી રહ્યા છે. રાજકોટમાં રોડ શો તેમજ વિવિધ કાર્યક્રમોનું લોકાપર્ણ ખાતમુહુર્ત સહિતના કાર્યક્રમો યોજાનારા છે.
Read About Weather here
આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંધવી, અરવિંદ રૈયાણી સહિતના ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન બાળકોને નહી બોલાવવાનો પણ નિર્ણય કર્યો હોવાનું પણ જાણવા મળેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here