30મીએ વિધાનસભા-68 માં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

30મીએ વિધાનસભા-68 માં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
30મીએ વિધાનસભા-68 માં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

મહાનગરપાલિકા તથા સરકારી કચેરીઓ આપના આંગણે
વોર્ડ નં.4,5,6,15 અને 16 માં સાતમાં તબકકાનો સેવા સેતુ કાર્યક્રમ અટલ બિહારી વાજપેયી કોમ્યુનિટી હોલ, પેડક રોડ ખાતે યોજાશે : શહેરના વિવિધ સ્લમ વિસ્તાર સહિતના 45 સ્થળોએ દીનદયાલ ઔષધાલયનો શુભારંભ કરાશે

સ્ટે.કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને આરોગ્ય કમિટીનાં ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડિયાએ એક સંયુકત યાદીમાં જણાવે છે કે, સરકારની જુદી જુદી યોજનાઓ સંબધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા

Visit Saurashtra Kranti Homepage here

હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાતમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્ર્નો તેમજ સરકારની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ સાતમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનું આયોજન કરેલ છે.

જેમાં આગામી તા.30 ના રોજ સવારે 9 વાગ્યાથી વિધાનસભા-68 (વોર્ડ નં. 4, 5, 6, 15 અને 16)માં સાતમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ શ્રી અટલ બિહારી વાજપેયી કોમ્યુનિટી હોલ, પેડક રોડ, ખાતે યોજાશે. તેમજ દિનદયાળ ઔષધાલયનો શુભારંભ

રાજ્યના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના માન. મંત્રી અરવિંદભાઈ રૈયાણીનાં વરદ હસ્તે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

શહેરના વિવિધ સ્લમ વિસ્તાર સહિતના 45 સ્થળોએ દીનદયાલ ઔષધાલયનો શુભારંભ કરવામાં આવશે.આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી,શહેર ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ,

પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણી, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ,

કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ તેમજ શાસક પક્ષનાં નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષનાં નેતા ભાનુબેન સોરાણી, શાસક પક્ષનાં દંડક સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહેશે.

Read About Weather here

સ્લમ્સમાં શરૂ થઇ રહેલ દીનદયાલ ઔષધાલયની તબીબી સેવાઓનો લાભ લ્યે તેવી સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને આરોગ્ય કમિટીનાં ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડિયાએ અનુરોધ કર્યો છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here