2હજાર ઉંદરોને મારી નાખવાનો આદેશ…!

2હજાર ઉંદરોને મારી નાખવાનો આદેશ...!
2હજાર ઉંદરોને મારી નાખવાનો આદેશ...!
હોંગકોંગના એક સ્ટોરમાં કર્મચારીને ડેલ્ટા વેરિયન્ટ થયા બાદ સ્ટોરમાં ઉપલબ્ધ તમામ જીવોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 11 હેમ્સ્ટર (ઉંદરો) પોઝિટિવ મળી આવ્યા છે. હોંગકોંગમાં મંગળવારે 2,000 હેમ્સ્ટર (ઉંદરો)ને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પેટ સ્ટોરમાં કેટલાક ઉંદરો કોવિડ-19થી સંક્રમિત જોવા મળ્યા હતા. જેથી પાલતુ પ્રાણીના માલિકોને પાલતુ પ્રાણી, જીવ-જંતુઓના સંપર્કમાં ન આવવા સલાહ આપી છે. કોવિડ-19નો વાયરસ માનવીમાંથી ઉંદરમાં ગયો હોવાની સંભાવના છે.

જો કે, ઉંદર અગાઉથી જ પોઝિટીવ હતા કે નહીં તેની તપાસ થઈ રહી છે. ઉંદરોમાં કોરોના ફેલાતાં પ્રશાસને ઝીરો કોવિડ પોલિસી હેઠળ 2,000 ઉંદરોને મારી નાખવાનો આદેશ જારી કર્યો છે. શહેરમાં સસલા અને ચામાચિડિયા સહિત જીવોના પરીક્ષણ માટે સેંકડો સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે,

પરંતુ અત્યાર સુધી ચેપ માત્ર ઉંદરોમાં જ જોવા મળ્યો છે. હોંગકોંગના આરોગ્ય સચિવ સોફિયા ચાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતુ કે, એવા કોઈ પુરાવા નથી કે પાળેલા જીવો મનુષ્યને ચેપ લગાવી શકે છે,

Read About Weather here

પરંતુ કૂતરાની પ્રજાતિઓની આયાત અને નિકાસ પર હાલ પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમજ લોકોએ સાવચેત રહેવુ જોઈએ.ઉંદર સિવાય વિશ્વમાં કેટલાક લોકોના ઘરમાં પાલતુ પ્રાણીઓ છે. કોવિડ મહામારીના દોરમાં તેનાથી દૂર રહેવા સલાહ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here