ઈન્ડિયન ટીમે 10 ઓવરની અંદર 3 વિકેટ ગુમાવી દેતા રાહુલ દ્રવિડ દોડીને મેદાનમાં આવી ગયા હતા. ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાયેલી બીજી T20 મેચ દરમિયાન હેડ કોચ દ્રવિડ પણ પ્રેશરમાં આવી ગયા હતા. આ દરમિયાન કોચે વિરાટ કોહલીને ખાસ ગેમ પ્લાન જણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દ્રવિડની આ પ્રતિક્રિયાથી વિન્ડીઝના ખેલાડી પણ વિચારમાં પડી ગયા હતા. જોકે આનો ફાયદો ભારતને થયો અને પંત-કોહલીએ ફિફ્ટી ફટકારી દીધી હતી.
Visit Saurashtra Kranti Homepage here
તો ચલો આપણે આ ઘટનાક્રમ પર નજર ફેરવીએ…..ઈન્ડિયન ટીમે 72 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન સૂર્યકુમાર આઉટ થતાં ભારત મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. જેથી રાહુલ દ્રવિડે સ્થિતિને ધ્યાનમાં રાખીને ડ્રિંક્સ બ્રેક દરમિયાન તાત્કાલિક વિરાટ જોડે પહોંચી ગેમ પ્લાનની ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે ટીમના હેડ કોચ પહેલીવાર આટલા પ્રેશરમાં જોવા મળ્યા હતા.
વળી શાર્દૂલ ઠાકુર પણ વિરાટ અને દ્રવિડ વચ્ચેની ચર્ચાને ધ્યાનથી સાંભળતો જોવા મળ્યો હતો. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે દ્રવિડે રનરેટની સાથે રિષભ પંતને યોગ્ય માર્ગદર્શન આપવાનું સૂચન વિરાટને કર્યું હતું.
Read About Weather here
યાદવના આઉટ થયા પછી પંત ક્રીઝ પર આવ્યો હતો. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે દ્રવિડ અને રોહિતે પહેલાથી જ પંતને સમગ્ર ગેમ પ્લાન જણાવી દીધો હતો. આ દરમિયાન વિરાટ કોહલી દરેક ઓવરમાં પંતને સૂચનો આપતો જોવા મળ્યો હતો.જેથી કરીને વિરાટ સાથે મળીને પંતે શરૂઆતમાં ગ્રાઉન્ડેડ શોટ્સ મારી ચોગ્ગાથી સ્કોરબોર્ડ ચલાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here