જયુબેલી શાકમાર્કેટ પાસે આવેલ વોકળો ગંદકીથી ઉભરાયો
સમસ્યાનાં સમાધાન માટે વોકળાની દિવાલ પર લાંબા પતરાઓ તેમજ મોટી દિવાલ બનાવવા માંગ
આજુબાજુનાં દુકાનદારોને રહેવામાં મુશ્કેલી: માથું ફાડી નાખે તેવી દુર્ગંધ
જો આમાં રોગચાળો ફાટે તો જવાબદાર કોણ?
રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા મેયરે અનોખી ઝુંબેશ ઘણા સમયથી શરૂ કરી છે. તે અનુસંધાને 9 થી વધુ ન્યુસન્સ પોઈન્ટ દૂર પણ થઇ ગયા છે. પણ હજુ ઘણી જગ્યાઓ એવી છે જ્યાં સમયસર સાફ-સફાઈ થતી નથી અને લોકો હેરાન થતા હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
તેવી જ સમસ્યા સામે આવી છે. જયુબેલી પાસે આવેલ વોકળામાં ખૂબ જ કચરો નાખવામાં આવે છે. વોકળામાં બકાલાવાળા, મટન માર્કેટવાળા અને મચ્છી માર્કેટવાળા કચરો નાખતા હોવાથી દુર્ગંધ ચારેબાજુ ફેલાઈ છે.
ત્યાંના દુકાનદાર ધારકોએ આ સમસ્યાનાં સમાધાન માટે મેયર, કમિશનર અને સ્ટે.ચેરમેનનાં રજુઆતો પણ કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, જયુબેલી શાકમાર્કેટ સામે ગુમાનસિંહજી શોપિંગ સેન્ટર અને
મમતા મેડીકલ સ્ટોરની વચે આવેલ વોકળામાં લોકો ગંદકી કચરો વોકળામાં ન નાખે તે માટે વોકળાની રોડ ઉપર આવેલ દિવાલ ઉપર લાંબા પતરાઓ નાખવામાં આવે અને ગુમાનસીહજી માર્કેટ બાજુ મોટી દીવાલ બનાવામાં આવે તો લોકો વોકળાની અંદર કચરો ન નાખી શકે તેવુ આયોજન કરવું જોઇએ.
બકાલાવાળાઓ, મટન માર્કેટ વાળા, મચ્છી માર્કેટવાળા અને અન્ય લોકો રોજ એટલો બધો કચરો નાખી જાય છે કે ગંદગીનો પાર નથી ગંદકીના થર જામી ગયા છે અને એટલી બધી દુર્ગંધ આવે છે
કે આજુબાજુ દુકાનદારો અને આજુબાજુના રહેઠાણના મકાનમાં રહી શકતા નથી અને રોગચાળો ફાટી નીકળે તેમ છે લોકોની હાલત કફોડી બની જાય છે.
Read About Weather here
તો તાકીદે વોકળાના રોડ ઉપર આવેલ દિવાલ ઉપર લાંબા પતરાઓ અને ગુમાનસીહજી માર્કેટ બાજુ મોટી દીવાલ બનાવવા આવે તે માટે યોગ્ય કરવા તેવું આ વિસ્તારના લોકોની માંગણી છે.(4.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here