સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ પરીક્ષા નિયામકથી સંચાલન થઇ રહ્યું હતું. પરંતુ જૂનમાં પરીક્ષા નિયામકની કાયમી ભરતીના ઈન્ટરવ્યૂ થયા અને યુનિવર્સિટીના કાયમી પરીક્ષા નિયામકપદે નિલેશ સોની નિયુક્ત થયા. કાયમીપદે નિયુક્ત થયાને હજુ ચાર માસ જેટલો જ સમય થયો છે ત્યારે તાજેતરમાં જ ચર્ચાસ્પદ બનેલા પેપર લીક કાંડને લીધે તેમણે રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું છે!!.
Visit Saurashtra Kranti Homepage here
જો કે બે દિવસથી કુલપતિ બહારગામ કાર્યક્રમમાં હોવાથી તેમને રાજીનામું અપાયું નથી પરંતુ પરીક્ષા નિયામકે યુનિવર્સિટીના મહેકમ વિભાગમાં રાજીનામાનો કાગળ આપી દીધો છે. શુક્રવારે કુલપતિ ગેરહાજર હતા. પરિક્ષા નિયામક કુલપતિને રૂબરૂ જ રાજીનામું આપવાના હતા પરંતુ કુલપતિ યુનિવર્સીટીએ નહીં આવતા અંતે પરિક્ષા નિયામકે મહેકમ વિભાગમાં રાજીનામાનો કાગળ આપી દીધો છે. હવે જોવાનું એ રહે છે કે કુલપતિ આવ્યા બાદ પરિક્ષા નિયામકનું રાજીનામુ મંજૂર થશે કે તેમને મનાવી લેવામાં આવશે!!
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here