રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના લડાયક નેતા ઇન્દ્રનીલ રાજયગુરૂએ તોડ કાંડમાં સંડોવાયેલા મનાતા રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને તાત્કાલીક સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
કોંગ્રેસના નેતાએ આક્ષેપોની ધણધણાટી બોલાવતા જણાવ્યું હતું કે, ભાજપ અને પોલીસની મીલી ભગતને કારણે જ ગેરરીતીઓ થઇ રહી છે. ભાજપની સરકાર ચોક્કસ પોલીસ અધિકારીઓને એજન્ટ બનાવી ભ્રષ્ટાચાર આચરી રહી છે.
આજે પત્રકારો સાથે વાતચીત કરતા ઇન્દ્રનીલ રાજયગુરૂએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, ભાજપની નીતિઓ લોકતંત્ર વિરોધી છે. ભાજપ પોલીસ અને તંત્રનો ગંભીર દુરઉપયોગ કરે છે. ભ્રષ્ટ અધિકારીઓને એજન્ટ બનાવી ભાજપની સરકાર ભ્રષ્ટાચાર કરે છે એટલે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે સસ્પેન્ડ કરવા જેવા પગલા કદી ન લે. તેમણે સવાલ કર્યો હતો
Read About Weather here
કે, અરવિંદ રૈયાણી અત્યાર સુધી ચુપ કેમ હતા? સાંસદ રામભાઇ મોકરીયાએ પણ અત્યાર સુધી મૌન જ જાળવ્યું હતું. હકીકત એ છે કે, ભાજપ અને પોલીસની મીલી ભગતને કારણે જ ભ્રષ્ટાચાર થઇ રહયો છે અને ગેરરીતીઓ આચરવામાં આવી રહી છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here