પ્રબુધ્ધ વાંચકોએ ઉપસ્થિત રહીને પુસ્તક પરબને હોંશે-હોંશે વધાવ્યું
દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યીક પ્રવૃતિઓ કરતી સંસ્થા સાહિત્ય સેતુ દ્વારા વાંચન પ્રવૃતિને વેગ આપવા દર મહિનાના પ્રથમ રવિવારે કોટેચા ગર્લ્સ હાઈસ્કુલમાં પુસ્તક પરબ શરૂ કરવામાં આવેલ છે. પુસ્તક પરબનો ચોથો પ્રબુધ્ધ નાગરિકો ભાવકોને વાંચકોના બહોળા સમુદાયની ઉપસ્થિતિમાં ખૂબ જ ઉમળકાભેર સંપન્ન થયેલ હતો.
Visit Saurashtra Kranti Homepage here
સંસ્થાને ભેટમાં મળેલા અંદાજે પાંચ હજાર પુસ્તકોમાં ધાર્મિકા, આધ્યાત્મિક, ચિંતનાત્મક, પ્રવાસ, આરોગ્ય, ઈતિહાસ, દેશભકિતના એમ વિવિધ શૃંખલામાં પુસ્તકોને વાંચન પ્રેમીઓ માટે ખુલ્લા મૂલ્યામાં આવ્યા છે. જેમાંથી પુસ્તક પ્રેમીઓ પોતાને મનગમતું પુસ્તક કોઈ ડિપોઝીટ કે વગર પોતાના ઘરે વાંચવા લઈ શકે છે.
Read About Weather here
જેને વાંચકોએ હોંશે-હોંશે વધાવેલ છે. પુસ્તક પરબના ચોથા માણસમાં શહેરના સામાજીક અગ્રણી મુકેશભાઈ દોશી, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, અમેરિકા નિવાસી છતાં શાંતીભાઈ ફળદુ, શિવ સેનાના પ્રમુખ જીમ્મીભાઈ અડવાણી, નિવૃત આર.ટી. ઓ. અધિકારી જે.વી.શાહ, સહિતના અગ્રણીઓ મુલાકાતે પધારેલ અને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર આયોજનની સફળત માટે સંસ્થાના અનુપમ દોશી, સુધીર દતા, જનાર્દન આચાર્ય હસુભાઈ શાહ, પંકજ રૂપારેલીયા, પરિમલભાઈ, હરેનભાઈ મહેતા, મહેશભાઈ જીવરાજાની, નૈષધભાઈ વોરા કાર્યરત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here