સરધાર સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

સરધાર સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે
સરધાર સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ્ હસ્તે
તા.10 થી 18 ડિસેમ્બર દરમ્યાન આ મહોત્સવમાં 1000 કુંડીયજ્ઞ સાથે શાકોત્સવ, 108 સંહિતા પાઠ, મેડિકલ કેમ્પ સહિત અનેક કાર્યક્રમ યોજાશે

સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પાંચસો પરમહંસોના ચરણરજથી પુનિત થયેલ અને જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે ભવિષ્યમાં અહીંયા મોટું મંદિર થશે તેવા આશીર્વાદ આપ્યા હતા

Visit Saurashtra Kranti Homepage here

તે તીર્થભૂમિ સરધારમાં સદગુરુ નિત્યસ્વરુપદાસજી સ્વામીના પ્રેરણાત્મક માર્ગદર્શન પ્રમાણે કલાત્મક નકશીકામ યુક્ત શિખરબદ્ધ ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિરનું નિર્માણ કામ પૂરુ થયુ છે.

જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા.10-12 થી 18-12 સુધી (ભવ્યાતિભવ્ય રીતે ધામધૂમથી) ઉજવાશે. સદગુરૂ રામાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ પણ સરધારમાં થયો છે.

આ સરધારમાં મીન સરોવર, દરબાર ગઢ, લીંબવૃક્ષ, હરિપૂજિત શીવજી, રામાનંદ સ્વામીનું નિવાસ સ્થાન વગેરે તીર્થસ્થાનો રહેલા છે. આવા મહિમાવંત તીર્થસ્થાન સરધારને આંગણે સદ્ગુરૂ નિત્યસ્વરુપદાસજીના પ્રેરણાત્મક માર્ગદર્શનથી સમગ્ર

સત્સંગસમાજના સહકારથી પાંચ શિખરસહિત 70 હજાર ઘન ચો.ફુટમાં બંસી પહાડ પત્થરમા 99+155 ફુટના ઘેરાવાળું અને 81 ફુટ ઉંચાઇવાળું મંદિર સંપ્રદાયના નજરાણાંરુપ બનેલ છે.

આ મંદિરમાં 16 ઘુમ્મટ અને 108 સ્થંભ તેમજ 108 કમાન સહિત ભવ્ય મંદિર તૈયાર થયું છે. આ મહોત્સવમાં 1000 કુંડી યજ્ઞ સાથે શાકોત્સવ, 108 સંહિતા પાઠ, મેડિકલ કેમ્પ રાખેલ છે.

આ ઉત્સવની શરૂઆતે તા,10 ડિસેમ્બરે અખંડ ધૂન શરૂ થશે. જેનો પ્રારંભ સ્વામી ભકિત સંભવદાસજી (અમરેલી), સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજી (બગસરા) અને પૂર્ણસ્વરુપદાસજી સ્વામી (સરધાર) કરાવશે.

ધૂન બાદ ઉત્સવ શુભારંભે મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી (રાજકોટ), સ્વામી મોહનપ્રસાદદાસજી (ધોરાજી) અને હરિવલ્લભદાસજી સ્વામી (અમરોલી) આશીર્વાદ આપશે. મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી (રાજકોટ),

હરિવલ્લભદાસજી સ્વામી (અમરોલી), શા. માધવપ્રિયદાસજી સ્વામી (છારોડી), ઇશ્ર્વરચરણદાસજી સ્વામી (કુંડળ), નૌતમપ્રકાશદાસજીસ્વામી (વડતાલ), લક્ષ્મીપ્રસાદાસદાસજી સ્વામી (બગસરા), દેવનંદનદાસજી સ્વામી (જુનાગઢ),

દેવપ્રકાશદાસજી સ્વામી (વડતાલ), નિલંકઠચરાણ દાસજી સ્વામી (જેતપુર), ધર્મપ્રિયદાસજી સ્વામી -બાપુ સ્વામી (ધંધુકા), હરિજીવનદાસજી સ્વામી (ગઢડા), કોઠારી વિરક્તસ્વરુપદાસજી સ્વામી કરશે. દિપ પ્રાગટ્ય હરિવલ્લભદાસજી સ્વામી (અમરોલી),

સંતવલ્લભદાસજી સ્વામી (વડતાલ), લક્ષ્મીનારાયણદાસજી સ્વામી (ગઢડા), પ્રેમસ્વરુપદાસજી સ્વામી (જૂનાગઢ), હરિકેશવદાસજી સ્વામી (ધોલેરા), બાલકૃષ્ણદાસજી સ્વામી (ફણેણી), મોહનપ્રસાદદાસજી સ્વામી (ધોરાજી),

સત્સંગભૂષણદાસજી સ્વામી (કણભા), ગોવિંદપ્રસાદદાસજી સ્વામી (મેતપુર), આનંદસ્વરુપદાસજી સ્વામી (સરધાર), ભકિતતનયદાસજી સ્વામી (મહુવા), દેવપ્રસાદદાસજી (વંથલી),

ભક્તિજીવનદાસજી સ્વામી (હરિયાળા), હરિસેવાદાસજી સ્વામી (વસઇ), પાર્ષદ લાલજી ભગત, જ્ઞાનબાગ વડતાલ દીપ પ્રાગટ્ય કરશે.તા.13-12-21 ના રોજ વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થશે ત્યારે

રામકૃષ્ણદાસજી સ્વામી (ધ્રાંગધ્રા), હરિપ્રિયદાસજી સ્વામી (સુરત), સંતદાસજી સ્વામી (આટકોટ), પુરુષોત્તમચરણદાસજી સ્વામી (રામપુરા), કે.પી. સ્વામી (ભાવનગર), પ્રભુચરણદાસજી સ્વામી (સુરત ગુરુકુલ), શુકદેવપ્રસાદદાસજી સ્વામી (નાર) અને

બ્રહ્મસ્વરુપદાસજી સ્વામી (સરધાર) ઉપસ્થિત રહેશે. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન ન્યાલકરણ ગ્રુપ વડોદરાના નાનજીભાઇ ગાંગજીભાઇ ગોળવીયા, સહ યજમાન ડુંગરશીભાઇ ગોપાળભાઇ નિસર, કથાના યજમાન અશોકભાઇ ઇશ્વરભાઇ પટેલ,

કથાના સહ યજમાન પરશોત્તમભાઇ ઘુસાભાઇ ભંડેરી વેળાવદર, યજ્ઞના યજમાન તળશીભાઇ ગોરધનભાઇ ભીકડીયા, યજ્ઞના સહયજમાન અ.નિ. રવજીભાઇ જીણાભાઇ, મહાપૂજાના યજમાન પ્રવિણભાઇ પરશોત્તમભાઇ સાપરિયા,

મૂર્તિપ્રતિષ્ઠાના યજમાન માનસેતા આશિષભાઇ રમેશભાઇ, ધર્મકુળ પૂજન યજમાન અ.નિ.મોહનભાઇ માધાભાઇ ભંડેરી, સંતપૂજનના યજમાન અ.નિ. નાથાભાઇ ઘુસાભાઇ નાકરાણી ભેંસાણ વગેરે રહેલ છે.

આ પ્રસંગે કેન્દ્ર ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મોહનભાઇ કુંડારીયા (સાંસદ) રાજકોટ, રમેશભાઇ ધડુક (સાંસદ), નારણભાઇ કાછડીયા (સાંસદ), રામભાઇ મોકરીયા (સાંસદ), જયેશભાઇ રાદડીયા (ધારાસભ્ય), કુંવરજીભાઇ બાવળિયા (ધારાસભ્ય), ગોવિંદભાઇ પટેલ

(ધારાસભ્ય), જવાહરભાઇ ચાવડા ધારાસભ્ય, વગેરે પધારશે. ઉપરાંત રાજકોટ કલેકટર અરૂણ મહેશબાબૂ અમિત અરોરા (મ્યુનિ. કમિશનર), મનોજ અગ્રવાલ (પોલિસ કમિશનર રાજકોટ), વગેરે પધારશે.

આ ઉત્સવમાં વડતાલ પીઠાધિપતિ આચાર્ય સાથે લાલજી મહારાજ સૌરભપ્રસાદજી મહારાજ અને ગાદીવાળા પણ પધારશે.વિશેષ અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ અને ઠાકોર સાહેબ માંધાતાસિંહજી પણ ઉપસ્થિત રહેશે.

ચેરમેન દેવપ્રસાદદાસજી સ્વામી, નૌતમપ્રકાશદાસજી સ્વામી, ડો.સંતવલ્લભદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં નિત્યસ્વરુપદાસજી સ્વામીએ આચાર્ય મહારાજશ્રીને ઉત્સવની પત્રિકા અર્પણ કરી ત્યારે પત્રિકા જોઇને મહારાજશ્રી ખૂબજ ખુશ થયા હતા.

Read About Weather here

ઉપરોક્ત ઉત્સવમાં સૌ હરિભકતો પધારે એવી નિત્યસ્વરુપદાસજી સ્વામીએ વિનંતી કરેલ છે. તેમ સરધાર મંદિર કોઠારી વિરક્તદાસજી સ્વામીની યાદીમાં જણાવાયું છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here