સરકારી તેમજ તાલીમી ઉમેદવારોને નોકરીના નિયુક્તિ પત્રો અપાશે

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

રોજગાર દિન નિમિત્તે સરકારી તેમજ તાલીમી ઉમેદવારોને નોકરીના નિયુક્તિ પત્રો અપાશે

રાજકોટ જિલ્લા રોજગાર કચેરીના નિયામક ચેતન દવેના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ માસમાં જ 6,745 જેટલી જગ્યાઓ પર ઉમેદવારોની નિયુક્તિ કરવામાં આવી છે.

આવતીકાલે રાજય સરકારના વિકાસલક્ષી પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજયવ્યાપી શરૂ કરાયેલા સેવાયજ્ઞના છઠ્ઠા દિવસે રોજગાર દિન નિમિત્તે રાજયના મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતીમાં વિવિધ ક્ષેત્રે ભરતી પામેલ ઉમેદવારોને નીમણુંક પત્રો એનાયત કરાશે.  

શ્રમ અને રોજગાર વિભાગના રોજગાર વિનિમય કચેરીના માધ્યમથી ખાનગી એકમોમાં 3,228, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત આઇ.ટી.આઈ.ના સહયોગથી 572, નાયબ શ્રમ આયુક્તની કચેરીના લાયસન્સની મેનપાવર કોન્ટ્રાકટ  દ્વારા 1621, શિક્ષણ વિભાગમાં મદદનીશ શિક્ષકો – માધ્યમિક વિભાગમાં 85 શિક્ષકો, 

ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં કેમ્પસ ઈંન્ટરવ્યુ દ્વારા પસંદગી પામેલ ઉમેદવારો પૈકી 407, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ (એપ્રેન્ટીસ તેમજ આર.એમ.સી.માં કાયમી મળીને) 322,  ઉદ્યોગ અને ખાણ વિભાગ એકમોમાં 423, નર્મદા જળ સંચય વિભાગમાં મદદનીશ ઇજનેર સિવિલની 8, આરોગ્ય વિભાગમાં 87, રાજ્યવેરા નિરીક્ષકમાં 1 તેમજ સંયુક્ત  ખેતીવાડી નિયામકમાં 1 મળીને કુલ 6,745 રોજગાર રોજગારવાંચ્છુકો યુવાનોની નિયુક્તિ કરવામાં આવી હોવાનું નિયામક ચેતન દવેએ જણાવ્યું છે.