શુક્રવારે દેશને કરેલા સંબોધનમાં મોદીએ મોટી જાહેરાત કરી. પોતાના 18 મિનિટના સંબોધનમાં મોદીએ કહ્યું કે સરકાર ત્રણે કૃષિ કાયદાઓને શુદ્ધ દાનત સાથે લાવી હતી, જોકે અમે આ વાત ખેડૂતોને સમજાવી ન શક્યા.
Visit Saurashtra Kranti Homepage here
પ્રકાશ પર્વના પ્રસંગે પીએમ મોદીએ અંતે ખેડૂતોની માંગને માની લીધી છે. તેમણે છેલ્લા લગભગ એક વર્ષથી ખેડૂતોના આંદોલનનું કારણ બનેલા ત્રણે નવા કૃષિ કાયદાને પરત લઈ લીધા છે. આ અંગે ટિકૈતે કહ્યું કે સંસદમાંથી કાયદાઓ રદ નહિ થાય ત્યાં સુધી આંદોલન પરત નહિ લઈએ.
તે પછી એક તરફ દિલ્હી બોર્ડર પર ખેડૂતોએ ઉજવણી શરૂ કરી છે. ગાજીપુર પર ખેડૂતોએ કિસાન ઝીંદાબાદના નારા લગાવ્યા. આ સિવાય આ અંગે સોશિયલ મીડિયા પર પણ આ અંગે રિએક્શન આવવાના શરૂ થઈ ગયા છે.
રાહુલ ગાંધીએ પોતાનો એક જૂનો વીડિયો ટ્વિટ કરીને લખ્યું કે દેશના અન્નદાતાએ સત્યાગ્રહ કરીને અહંકારનું માથું નમાવ્યું. અન્યાયની વિરુુદ્ધ જીત.આમ આદમી પાર્ટીએ કહ્યું કે આ ખેડૂતોના અભિયાનની મોટી જીત છે.
Read About Weather here
મોદી સરકારે આગામી ચૂંટણીમાં હારના ડરથી 3 કૃષિ કાયદાને પરત લીધા છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિદ્ધૂએ કહ્યું કે કૃષિ કાયદાને પરત લેવા તે યોગ્ય દિશામાં પગલું છે. ખેડૂતોનો કા કિસાન મોરચો. પીએમ મોદીએ એ ખેડૂતોના પરિવારની માંફી માંગવી જોઈએ, જેમણે ન્યાયની લડાઈમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here