શુક્રવારે મૂર્તિ પૂજક સમાજ અને શનિવારે સ્થા. જૈન સમાજનું સવંત્સરી મહાપર્વ
પ્રતિ વર્ષ ઘાસચારા નિભાવ ખર્ચ – યોજના પ્રતિ વર્ષ એક દિવસનાં રૂા. 1,51,001 ઘાસચારાનાં ખર્ચના 365 દાતાઓની આ કપરા સંજોગમાં જરૂર હોવાથી, આપ પણ એક દિવસનો ખર્ચ આપવા ગઢડા પાંજરાપોળની અપીલ છે.
અનુદાન આપવા માટે અશોકભાઈ (આત્માનંદ જેમ્સ) મો.9870056034, મહેશભાઈ ગાબાણી મો.98201 16016, રાજકોટ સંપર્ક: મિતલ ખેતાણી મો.98242 21999, રજનીભાઈ આર. દોશી મો. 9426930776, મનોજ ડેલીવાળા મો. 98241 14437 પર સંપર્ક કરવા ગઢડા મહાજન પાંજરાપોળની યાદીમાં જણાવાયું છે.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે આવતીકાલે શુક્રવારે મૂર્તિપૂજક સમાજ અને શનિવારે સ્થા.જૈન સમાજનું સવંત્સરી મહા પર્વ. સવંત્સરીના દિવસે પૂ.સાધુ – સાધ્વીજીઓને ચૌવિહારો ઉપવાસ હોય છે.
Visit Saurashtra Kranti Homepage here
નવ વષેની ઉંમર હોય કે નેવું વષેના વયોવૃધ્ધ સાધુ – સાધ્વીજી હોય સવંત્સરીનો ચૌવિહારો ઉપવાસ તેઓ માટે ફરજીયાત હોય છે.ઉપવાસ હોવા છતાં તેઓ શ્રાવક – શ્રાવિકાઓને આલોચના કરાવે,પ્રવચન આપે,અથાક શ્રમ લઈને શાસન પ્રભાવના માટે સતત જાગૃત રહે છે. આપણે પણ ચતુર્વિધ સંઘના એક સદ્દસ્ય છીએ તો સંવત્સરી મહા પવેના દિવસે ઉપવાસ,એકાસણા કે જે થઈ શકે તે તપ આરાધના કરવી જોઈએ.
![સંવત્સરી એટલે વેરઝેરને કાયમ માટે વિરામ આપવાનો અવસર: મનોજ ડેલીવાળા સંવત્સરી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
આત્મા અનંત શકિતનો ધારક છે.જે ધારે તે કરી શકે છે.આલોચના કરજો,પ્રતિક્રમણ ફરજીયાત કરવાનું હોય છે.ચિંતન કરવાનું કે ગત સવંત્સરીએ આપણી સાથે હતા તેમાંથી અનેક આત્માઓ પરલોકે સિધાવી ગયા હશે.આયુષ્યનો કાંઈજ ભરોસો નથી.
દૂર્લભ માનવ ભવની પ્રત્યેક પળને ચાલો સાર્થક કરી લઈએ. જૈન ધર્મ દેહ શુધ્ધિ નહીં પરંતુ આત્મ શુધ્ધિમા માને છે.
Read About Weather here
પ્રતિક્રમણ કરતાં સમયે જગતના સવે જીવોને હ્રદયપૂવેક ખમાવવાના… ક્ષમા માંગવાની અને ક્ષમા આપવાની. આત્માની મિથ્યા માન્યતા, વૃતિ – પ્રવૃતિમા સુધારો ન થાય ત્યાં સુધી પરીભ્રમણ અટકતુ નથી.(1.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here