શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા પદ્મભૂષણ પૂ.સ્વામી સચ્ચિદાનંદજીનું ભવ્ય સન્માન સમારોહ

શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા પદ્મભૂષણ પૂ.સ્વામી સચ્ચિદાનંદજીનું ભવ્ય સન્માન સમારોહ
શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા પદ્મભૂષણ પૂ.સ્વામી સચ્ચિદાનંદજીનું ભવ્ય સન્માન સમારોહ
શ્રીમાળી બ્રાહ્મણ સમાજ રાજકોટ દ્વારા પરમ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી કે જેમને સરકાર શ્રી દ્વારા ‘પદ્મભૂષણ’ થી નવાજવામાં આવ્યા છે તેમનું ભવ્યાતી ભવ્ય સન્માન આ સમારોહનું આયોજન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રાજકોટ ખાતે સાંજે 4 વાગ્યાથી કરવામાં આવેલ છે.‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ ની મુલાકાતે પધારેલા શ્રીમાળી બ્રાહ્મણ સમાજના હર્ષદભાઈ ઓઝા અને પ્રવિણભાઈ ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રનો સર્વોચ્ચ એવોર્ડ શ્રેષ્ઠ નાગરિક સન્માન સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન સેવા બદલ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીને ‘પદ્મભૂષણ’ એવોર્ડ ભારત સરકારનો એનાયત થયેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

સ્વામી સચ્ચિદાનંદજીનું નામ કર્ણ પટ પર આવતા જ એક સચોટ, ક્રાંતિકારી, સ્પષ્ટ વક્તા, રાષ્ટ્રવાદી સંત તરીકેની એક અનોખી ઓળખ સ્વયમ સ્પષ્ટ નજારો દેખાય એવા સંતનું શ્રીમાળી બ્રાહ્મણ સમાજ રાજકોટના યજમાન પદે સમગ્ર ગુજરાત શ્રીમાળી બ્રાહ્મણ સમાજ સાથે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ ખાતે તા.29 ને રવિવારે સાંજે 4.30 વાગ્યે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર ગુજરાત જેમકે અમદાવાદ, જામનગર, ભાવનગર, વાવ, થરાદ, દિયોદર, મહેસાણા, સુરત, વડોદરા, હળવદ, ચુડા, સુરત, ગાંધીનગર જેવા આશરે 46 શહેરોમાંથી શ્રીમાળી બ્રાહ્મણો ઉપસ્થિત રહી સ્વામીજીનું યથા ઉચીત સન્માન કરવામાં આવનાર છે.
સ્વામીજી વિશે જેટલી અલૌકિક વાતો કરીએ તે બધી જ પ્રેરણા આપનારી – જીવનને નવ સર્જન આપનારી છે

Read About Weather here

તેમના પ્રવચન તેમની વાણીને સાંભળવી એ એક અનેરો અવસર છે તેમની રાષ્ટ્રવાદની જે વાતો છે તેમનો શિક્ષણ અને સાહિત્ય પ્રત્યેનો અપાર લગાવ તેમની અનેક રચનાત્મક પુસ્તકો પ્રકાશિત થયેલા છે તેમની ઉચ્ચતમ શૈક્ષણિક સામાજીક પ્રવૃત્તિઓ બદલ ભારત સરકારનો સર્વ શ્રેષ્ઠ એવોર્ડ ‘પદ્મ ભૂષણ’ તાજેતરમાં એનાયત થયો છે તે માટે એક અનોન્ય હોય જે તેવા બ્રહ્મ તેનું સવિશેષ સન્માન થાય તેવો શ્રીમાળી આ સન્માન સમારોહને ઐતિહાસિક બનાવવા ઉજાગર બનાવવા સમગ્ર ગુજરાત શ્રીમાળી બ્રહ્મસમાજમાં થનગનાટ છે તેમજ આ કાર્યક્રમને મૂર્તિ મંત સ્વરૂપ આપવા માટે શ્રીમાળી બ્રાહ્મણ સમાજ રાજકોટ મહેનત કરી રહ્યા છે. તેમ શ્રીમાળી બ્રહ્મસમાજના અધ્યક્ષ ડો.રાજેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here