વૃધ્ધ પર 5 શખ્સોનો હુમલો…!

વૃધ્ધ પર 5 શખ્સોનો હુમલો...!
વૃધ્ધ પર 5 શખ્સોનો હુમલો...!
એટલું જ નહિ હુમલાખોર ખનીજ માફિયાઓએ રજૂઆત કરનાર વૃદ્ઘને રિવોલ્વર બતાવીને હવે પછી કયારેય રજૂઆત કરી છે તો તને ફુકી મારીને જીવતો પતાવી દઈશું તેવી ધમકી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ઙ્ગ હોસ્પિટલ દોડી ગયેલી પોલીસે ઇજાગ્રસ્ત વૃદ્ઘનું નિવેદન લઇને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. જેતપુર તાલુકા પંથકમાં ખનીજ માફિયાઓ ફાટીને ધુમાડે ગયા છે.

આજે ખનીજ ચોરી બાબતે વારંવાર સરકારી તંત્રોને રજૂઆત કરનાર કાગવડના એક વૃદ્ઘઙ્ગ ઉપર ખનીજ ચોરી કરતા પાંચ શખ્સોએ હુમલો કરતા તેમનેઙ્ગ વીરપુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

બનાવની વિગત એવી છે કે જેતપુર તાલુકાના કાગવડ ગામે રહેતા અને માલધારી તરીકે જીવન જીવતા હેમંતગર વજેગર મેઘનાથીઙ્ગ નામના વૃદ્ઘે છેલ્લા ચાર વર્ષ થયા કાગવડ વિસ્તારમાં બેરોકટોક ખનીજ ચોરી

બાબતે જેતપુર સહિત લાગતા વળગતા સત્તાવાળાઓને રજૂઆત કરતા આવે છે. ગઇકાલે કાગવડમાં ગૌચરની જમીન ખોદી રહેલા ખનીજ ચોરો બાબતે હેમંતગરભાઈએ તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરતા ટીડીઓએ તાત્કાલિક આ ખનિજ ચોરી અટકાવી દીધી હતી.

પરંતુ આ વાતના આ વાતનો રાગદ્વેષ રાખીને કિશન સહિત પાંચ શખ્સો રજૂઆત કરનારના ઘરે પહોંચી જઈનેઙ્ગ લાકડી તેમજ ઢીકાપાટુનો મારઙ્ગ મારી માલધારી વૃદ્ઘને ઘાયલ કરી દીધા હતા.

દરમિયાન મૂંઢ મારથી પીડાતાઙ્ગ ઇજાગ્રસ્ત વૃદ્ઘ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. અહીં હોસ્પિટલ ખાતે દોડી ગયેલી પોલીસ સમક્ષ ઇજાગ્રસ્ત વૃદ્ઘે નિવેદન આપ્યું હતું

કે કાગવડની ધાર વિસ્તારમાં થતી ખનીજ ચોરી બાબતે તેમણે તાલુકાઙ્ગ વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરતા ખનીજ ચોરોઙ્ગ ઙ્ગલાજવાને બદલે ગાજીનેઙ્ગ તેમના ઉપર હુમલો કર્યો હતો.

એટલું જ નહીં પોતાના પર હુમલો કરનાર ૫ શખસમાંથી એકના પડખામાં રિવોલ્વર હતી અને એવી ધમકી આપી હતી કે હવે પછી ખનીજચોરી બાબતે કયાંય પણ રજૂઆત કરી છે તો ફૂંકી મારીને જીવતો પતાવી દઈશ. તેવી ધમકી આપી હતી.

હોસ્પિટલમાં સારવાર લેતા વૃદ્ઘે આક્ષેપ કરતા કહ્યું હતું કે પોતાના પર હુમલો કરવામાં કાગવડના સરપંચ તેમજ એક કિશન નામના શખ્સ સહિત ૫ હતા.

ઙ્ગ હુમલા દરમિયાન તેમના ચશ્મા તૂટી જતા તેઓ હુમલાખોરોને બરાબર ઓળખી શકયા નહોતા.પોલીસે ઇજાગ્રસ્ત વૃદ્ઘનાઙ્ગ નિવેદન પરથી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

ઙ્ગજાણકારો કહે છે કે ખનીજ ચોરી રોકવાનો પ્રયાસ કરનાર વૃદ્ઘ પર હુમલો કરવામાં રાજકીય શખશોઙ્ગ સામેલ હોવાની વિગતો ગામમાં ચર્ચાઈ રહી છે. ત્યારે સ્થાનિક પોલીસે કોઈપણની સામે શેહ શરમઙ્ગ રાખ્યા વગર હુમલાખોરો સામે ગુનો નોંધવો જોઈએ.

ખનીજ ચોરી રોકવા મથતા વૃદ્ઘ ઉપર હુમલો કરનારા અમુક શખશો રાજકીય છાવણીના હોવાથી અમુક આગેવાનોએ સ્થાનિક પોલીસને અનેક વખત ફોન કરીને

બનાવનો ગુનો નોંધવામાં તકેદારી રાખવાની ભલામણ કરી હતી. પરંતુ પોલીસેઙ્ગ વૃદ્ઘના નિવેદન પરથી તપાસ કરીને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

હોસ્પિટલ બિછાનેથી ઇજાગ્રસ્ત હેમતગર મેઘનાથી સ્થાનિક પત્રકારોને જણાવ્યું હતું કે કાગવડ વિસ્તારમાં ગૌચરની જમીનમાં થતી ખનીજ ચોરી બાબતે તેઓ છેલ્લા ચાર વર્ષથી ગ્રામપંચાયત થી લઈને મુખ્યમંત્રી સુધી તેમજ લાગતા વળગતા સત્તાધીશોને રજૂઆત કરતા આવે છે.

આમ છતાં ખનીજ ચોરી અટકતી નથી. તેમણે કહ્યું હતું કે ખનીજ માફિયાઓ આવી રીતે પોતાના પર હુમલો કરીને પોતાની કાર્યવાહી રોકાવી શકશે નહીં.

Read About Weather here

ગૌચરની જમીનને બચાવવા માટે તેઓ ભવિષ્યમાં પણ અવારનવાર સરકારી તંત્રને રજૂઆત કરતા રહેશે.આજે આ બાબતે રજૂઆત કરાતા ખનીજ માફિયાઓને જાણ થઈ જતા તેમના પર હુમલો કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here