વૃદ્ધ રિક્ષાચાલકને જાહેરમાં તમાચા ઝીંક્યા…!

વૃદ્ધ રિક્ષાચાલકને જાહેરમાં તમાચા ઝીંક્યા...!
વૃદ્ધ રિક્ષાચાલકને જાહેરમાં તમાચા ઝીંક્યા...!
રાજકોટના કાવાલડ રોડ પર સિટીબસ સાથે રિક્ષા ઘસાઈ હતી. બાદમાં સિટીબસના કર્મચારીઓ એકત્ર થયા હતા અને વૃદ્ધ રિક્ષાચાલકને માર માર્યો હતો. રાજકોટમાં વધુ એક વખત સિટીબસ કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

સિટી બસના કર્મચારીઓનો દાદાગીરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયો વાઇરલ થતા રાજકોટ મનપા કમિશનર દ્વારા સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર સામે સિટી બસસ્ટોપ ખાતે એક વૃદ્ધ રિક્ષાચાલકને સિટી બસના કર્મચારી માર મારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

જેમાં એક વૃદ્ધને રોડ પર બેસાડી સિટીબસના કર્મચારી માર મારી રહ્યા છે. આ સમગ્ર મામલે રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરાએ ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

કાલાવડ રોડ પર અન્ડર બ્રિજ નજીક રિક્ષા બસ સાથે ઘસાતા સિટીબસના કર્મચારીઓ અને રિક્ષાચાલક વૃદ્ધ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ઉલ્લેખનીય છે કે, સિટીબસના કર્મચારીઓ વારંવાર કાયદો હાથમાં લઇ બબાલ કરતા હોય છે

Read About Weather here

અને વિવાદમાં સપડાતા હોય છે. ત્યારે આ ગંભીર મામલે મનપા તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.બાદમાં મામલો ગરમાતા રિક્ષાચાલકને માર મારવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here