સ્વામિ ઘનશ્યામપ્રકાશદાસજીની ભાવભેર રકતતુલા કરાઈ
યાત્રાધામ વીરપુરમાં સ્વામિનારાયણ ગુણાતીત ગુરુકુલ દ્વારા રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા અનેક માનવ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુળ તેમજ ગાયત્રી મુક્તિધામ સેવા સમિતિ દ્વારા વીરપુર ગુરુકુળ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું, લોકોએ રક્તદાન કરેલા રક્તની ગુરૂકુળના ઘનશ્યામપ્રકાશદાસ સ્વામીની રક્તતુલા પણ કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામી ઘનશ્યામપ્રકાશદાસ તથા વિશ્ર્વ વિહારીદાસ સ્વામીએ જણાવ્યું હતું રક્તદાન કેમ્પમાં જે રક્ત એકત્રિત થશે તે હાલના સમયમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત લોકોને તેમજ બ્લડની જરૂરિયાતવાળા લોકોને કોઈપણ ચાર્જ વગર જ આપવામાં આવશે.
Read About Weather here
આ રક્તદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પના કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ગાયત્રી મુક્તિધામ સમિતિના પ્રમુખ સહિત તમામ સભ્યો તેમજ ગાયત્રી મહિલા મંડળની મહિલાઓ તથા વીરપુરગામના સેવાભાવી લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here