વિદ્યાર્થિનીની ક્રૂરતાથી હત્યા

વિદ્યાર્થિનીની ક્રૂરતાથી હત્યા
વિદ્યાર્થિનીની ક્રૂરતાથી હત્યા
હત્યારાઓએ યુવતીનો એક હાથ કાપી નાખી હત્યા કરી લાશ ફેંકી ફરાર થઈ ગયા હતા. વડોદરા શહેરના છેવાડે નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ નજીક 19 વર્ષીય વિદ્યાર્થિનીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં લોહીથી લથબથ વિદ્યાર્થિનીની લાશ મળી હતી. પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી અનુસાર, શહેરના માણેજામાં મામાના ઘરે રહી અભ્યાસ કરતી તૃષા સોલંકીની અજાણ્યા શખ્સોએ ક્રૂર હત્યા કરી લાશ હાઇવે પાસે ફેંકી ફરાર થઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ઘટનાસ્થળેથી મળેલા આધારકાર્ડમાં યુવતી મૂળ પંચમહાલ જિલ્લાની હોવાનું ખૂલ્યું છે.પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ, શહેર નજીકના નેશનલ હાઇવે નં-48 પર આવેલી લેન્ડ ફીલ્ડ સાઇડ પાસે એક યુવતીની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી હોવાની વિગતો પોલીસને મળી હતી. આ માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. યુવતીના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યા હોય તેવા નિશાનો મળી આવ્યાં હતાઆ ઉપરાંત હત્યારાઓએ યુવતીનો જમણો હાથ કાપીને તેના શરીરથી દૂર ફેંકી દીધો હતો. જે પોલીસને મળી આવ્યો હતો. યુવતીને માથા અને મોઢાના ભાગે ખુબ જ ક્રૂરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ હત્યારાઓ અને કયા કારણોસર હત્યા કરવામાં આવી છે અંગે તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં યુવતી પોતાની એક્ટીવા લઈ ટ્યુશન જવા માટે નીકળી હતી. ત્યારબાદ તેની લાશ મકરપુરા પોલીસ મથકની હદમાંથી મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. મકરપુરા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.હું મારા રોજિંદા ઘરકામમાં પરોવાયેલી હતી ત્યારે ઓચિંતી રાતના 8 વાગવામાં 15 મિનિટ બાકી હતી ત્યારે યુવતીની ચીસો સંભળાઇ હતી પણ લાઇટો જતી રહી હોવાથી અંધારું વધુ હતું એટલે ત્યાં જવાની મારી હિંમત ચાલી ન હતી. એ લોકો બહુ ઝાટકા મારતા હોવાથી યુવતી ચીસો પાડતી હતી. તુરંત મેં મારા જમાઇને જાણ કરી હતી. જેથી જમાઈએ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી.

Read About Weather here

મારા ખેતરથી 200 મીટર દૂર આ ઘટના બની હતી. ( હત્યાના સ્થળ નજીક ખેતરમાં રહેતા ગીતાબેન પાટણવાડિયાના જણાવ્યાનુસાર)એકેડમીમાં કોચિંગ માટે જતી તૃષા હાઈવે પર કેવી રીતે પહોંચી તે તપાસનો વિષય છે અમે તે બાબતે ગહન તપાસ કરી રહ્યા છે. – કરણરાજ વાઘેલા, ડીસીપીયુવતીના મામા સજ્જનસિંહે જણાવ્યું હતું કે અમારા પરિવારમાં એકની એક દીકરી હતી. અલકાપુરી કોચિંગ માટે જતી હતી. સાંજે જે સમયે ઘરે પરત ફરતી હતી તે સમયે પરત આવી ના હતી. બાદમાં તેની હત્યાની જાણ થઇ હતી.તુષાનું મોપેડ હાઇવે પર હતું. જયારે હત્યા ત્યાંથી દુર ઝાડીમાં થઇ હતી. થોડાંક દિવસો પહેલાં સુરત ખાતે ફેનીલે એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા નામની યુવતીનું જાહેરમાં ગળું કાપી નાંખી હત્યા કરી હતી. ત્યારબાદે રાધનપુરમાં વિધર્મી યુવકે એક તરફી પ્રેમમાં યુવતીના ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો. જેથી હત્યામાં એકથી વધુ લોકો હોવાની અને તેની સાથે અજુગતુ બન્યુ હોવાની તપાસ શરૂ કરાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here